અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું બન્ને તબક્કામાં રાહુલબાબાનાં સૂપડાં સાફ
રાજકોટ/અમદાવાદ,27 એપ્રિલ (હિ.સ.) .) કેન્દ્રિય ગૃહમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ આજે ગુજ
Amit Shah attacked the Congress 


રાજકોટ/અમદાવાદ,27 એપ્રિલ (હિ.સ.) .) કેન્દ્રિય ગૃહમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ત્રણ જાહેર સભા કરવાના છે. સવારે રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં પોરબંદર લોકસભા બેઠકના મતવિસ્તારમાં જામકંડોરણામાં જામકંડોરણા જણાવ્યું કે ગુજરાતમાં હેટ્રિક સાથે ફરી 26 બેઠક પર કમળ ખીલશે. જેમાં એક સુરતમાં ચૂંટણીના મતદાન પહેલા જ કમળ ખીલી ગયું છે.

આજે સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં સભા સંબોધી હતી. જામકંડોરણામાં સભાને સંબોધી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીના બન્ને ચરણમાં રાહુલ બાબાના સૂપડા સાફ થઇ ગયા છે. અયોધ્યામાં રામ મંદિર મુદ્દો કોંગ્રેસ સરકાર 70-70 વર્ષ સુધી ભટકાવતી રહી, આખરે મોદી સાહેબને બીજી વખત વડાપ્રધાન બનાવવામાં આવતા તેમણે રામ મંદિર બનાવી સમગ્ર વાતાવરણ જયશ્રી રામના નામનું કરી દીધું. વધુમાં કહ્યું, સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઇ ગયું છે.

અમિત શાહે જામકંડોરણાથી સભાને સંબોધતા કહ્યું, પોરબંદરથી પહેલી સભા કરું છું, ત્યારે ગુજરાતને અપીલ કરું છું કે, ગાંધી-સરદારના ગુજરાતને મોદી સાહેબ દુનિયામાં ઓળખ આપી રહ્યા છે, તમામ 25 બેઠકમાં કમળ ખીલાવી, નક્સલવાદ અને આતંકવાદ દૂર કરવા, ગરીબી દૂર કરવા કમળનું બટન દબાવજો અને મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવજો.

હજારો વર્ષથી આપણું ભારત દુનિયામાં મહાન હતું એ સાંભળતા આવ્યા છીએ. મોદી સાહેબનો સંકલ્પ છે કે, 2047માં વિકસિત ભારત બનાવીશું. 10 વર્ષમાં મોદી સાહેબે કોંગ્રેસે કરેલો ખાડો પુરવાનું કામ કર્યું છે. આવતા 5 વર્ષમાં ખાડો પુરવાનો પાયો નાખવામાં આવશે.

નરેન્દ્રભાઈએ 10 વર્ષમાં તમામ કામ પુરા કર્યા છે. 5 લાખ 95 હજાર કરોડ રૂપિયા ગુજરાતને આપ્યા છે. કોંગ્રેસ સરકારે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબનું નામ ભુલાવી દીધું હતું. સરદારનું સ્મારક બનાવવાનું કામ મોદી સાહેબે કર્યું છે.દરિયાકાંઠો નરેન્દ્ર ભાઈએ સુરક્ષિત કર્યો છે, કોંગ્રેસ એના રાજમાં 8 કલાકથી વધુ વીજળી નહોતી આપતી, મોદી સાહેબે જ્યોતિગ્રામ યોજના મારફત ગામડામાં 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરી. સમગ્ર સૌરાષ્ટ્રને ધમધમતું કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે. પોરબંદર વાળા મનસુખભાઈ મંત્રીને મોદી સાહેબે મોકલ્યો છે. કોરોના કાળમાં ગભરાયા વગર, ઉશ્કેરાયા વગર, શાંત મનથી વેક્સિનેશન કામ મનસુખ ભાઈએ કર્યું છે. કોંગ્રેસની સરકારમાં 7 એઇમ્સ હતી. આજે 1 લાખ ડોક્ટરો દર વર્ષે બહાર આવે છે. આ મોદી સરકારની દેન છે. જન ઔષધિ કેન્દ્રો મનસુખભાઈએ શરૂ કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande