સુરત,27 એપ્રિલ (હિ.સ.) કોંગ્રેસના નવસારી ના ઉમેદવાર નૈષધ દેસાઈ એક સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એવું નિવેદન આપ્યું કે વિવાદ ઉભો થયો છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં આગામી સાતમી મેએ મતદાન થવાનું છે. અને આ માટે એક તરફ કોંગ્રેસ નેતાઓ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના જ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને બિન ગુજરાતી ગણાવતા વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ