જ્હાન્વી કપૂર અને શિખર પહાડિયાના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું
નવી દિલ્હી, 26 જુલાઈ (હિ.સ.) અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જ્હાન્વી,એ તેની માતાના પગલે ચાલવાનું અને અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. જ્હાન્વીએ ફિલ્મ ધડકથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી. હાલમાં જ્હાન્વી, બોલ
પહાડીયા


નવી દિલ્હી, 26 જુલાઈ (હિ.સ.) અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જ્હાન્વી,એ તેની માતાના પગલે ચાલવાનું અને અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. જ્હાન્વીએ ફિલ્મ ધડકથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી. હાલમાં જ્હાન્વી, બોલિવૂડમાં તેના કરિયરને કારણે નહીં, પરંતુ તેના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. જ્હાન્વી અને શિખર પહાડિયા વચ્ચેના સંબંધો જાણીતા છે. તેઓ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે તેમના લગ્નની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

જ્હાન્વી અને શિખર ઘણી ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા છે. તેણે તાજેતરમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ હાજરી આપી હતી. કોફી વિથ કરણમાં પણ જ્હાન્વીએ બધાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. જ્હાન્વીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં તે ક્યારે લગ્ન કરશે? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આનો જવાબ આપતાં જ્હાન્વીએ કહ્યું હતું કે, હું અત્યારે મારા જીવનથી ખૂબ જ ખુશ છું. અત્યારે તેની પાસે કે મારી પાસે સમય નથી. જ્હાન્વી હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે અભિનેતા રાજકુમાર રાવ સાથે સ્ક્રીન શેર કરી હતી. હવે તે ફિલ્મ 'ઉલઝ'માં જોવા મળશે. આ સાથે તે જુનિયર એનટીઆર સાથે દેવરા ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શિખર પહાડિયા, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર શિંદેની મોટી પુત્રી સ્મૃતિ શિંદે અને સંજય પહાડિયાનો પુત્ર છે. શિખર, સાંસદ પ્રણિતી શિંદેનો ભત્રીજો છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીલ કુમાર સક્સેના / માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande