પોરબંદર,03 જુલાઇ (હિ.સ.) પોરબંદર જીલ્લા ઉપરાંત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઘેડ પંથકમાં ભાદર, ઓઝત અને મધુવંતીસના પણી ફરી વળતા આ વિસ્તાર બેટમાં ફેરવાયો છે. એક બીજા ગામોને જોડતા રસ્તા બંધ થયા છે માધવપુરમાં મધુવંતીના પાણી ફરી વળતા અનેક દુકાનો અને મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. પોરબંદર જીલ્લાના ઘેડ પંથકના અનેક ગામોમા પુરના પાણી ફરી વળ્યા છે. માધવપુરમાં મધુવંતી નદીના પાણીના કારણે અનેક દુકાનો અને મકાનોમાં પાણી ફરી વળ્યા હતા મેળા ગ્રાઉન્ડમાં બનાવામાં આવેલા પુલના કારણે પુરના પાણીનો નિકાલ થતો નથી જેને કારણે આસપાસના દુકાનો અને મકાનોમા પાણી ઘુસી - ગયા છે. તો બીજી તરફ રાતીયાના - જુના રસ્તા પર પાણી ફરી વળ્યા - છે. રાતીયા ગ્રામજનોના જણાવ્યા - અનુસાર જુના હાઇવ પર ગેટ - મુકવામાં આવ્યા છે. તે 500 મીટર સુધી મુકવાની માંગ કરી હતી તે મુજબ ગેટ મુકવામાં આવ્યા નથી જેને કારણે પાણીનો સંગ્રહ થતો નથી તો ઘેડના 20થી 25 ગામોમાં પુરના પાણી ફરી વળતા એક-બીજા ગામને જોડતા રસ્તા બંધ થયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદરના ઘેડ પંથકમાં ભાદર, ઓઝત, મીણસાર અને મધુવંતી સહિતની નદીઓના પાણી ફરી વળ્યા છે જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર/તેજસ ઢોલરીયા/હર્ષ શાહ