રાષ્ટ્રપતિ મંગળવારે, 8મા ઈન્ડિયા જળ સપ્તાહનું ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, મંગળવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 8મા ઈન્ડિયા વોટર વીક (આઈડબ્લ્યુડબ્લ્યુ) નું ઉદ્ઘાટન કરશે. જલ શક્તિ સચિવ દેબાશ્રી મુખર્જીએ સોમવારે, કર્ટન રેઝર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન
જલ


નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, મંગળવારે

નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 8મા ઈન્ડિયા વોટર વીક (આઈડબ્લ્યુડબ્લ્યુ) નું ઉદ્ઘાટન કરશે.

જલ શક્તિ સચિવ દેબાશ્રી મુખર્જીએ સોમવારે, કર્ટન રેઝર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન

મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે,” 8મું ભારત જળ સપ્તાહ યોજાશે. 17 થી 20

સપ્ટેમ્બર સુધીમાં નવી દિલ્હીમાં યોજાશે. તેની થીમ ‘સમાવિષ્ટ જળ વિકાસ અને

વ્યવસ્થાપન માટે ભાગીદારી અને સહયોગ’ છે.”

તેમણે કહ્યું કે,” આ કાર્યક્રમમાં કેન્દ્રીય જલ શક્તિ

મંત્રી સી.આર. પાટીલ, રાજ્ય મંત્રી રાજ

ભૂષણ ચૌધરી ઉપરાંત વિવિધ દેશોના જળ સંસાધન ક્ષેત્રના નિષ્ણાતો, કેન્દ્ર અને

રાજ્ય સરકારના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્વાન ફેકલ્ટી, એનજીઓઅને નાગરિક

સમાજના પ્રતિનિધિઓ આમાં ભાગ લેશે. ભારત મંડપમ ખાતે 17 થી 20 સપ્ટેમ્બર દરમિયાન જલ

શક્તિ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.” સચિવે

આગળ જણાવ્યું કે,”જેનો ઉદ્દેશ્ય સેમિનાર, પ્રદર્શનો અને અન્ય સમાંતર સત્રો દ્વારા પ્રતિષ્ઠિત

હિતધારકો સાથે વાતચીત કરવાનો હતો.જેમાં લોકજાગૃતિ

ઊભી કરવી, સંરક્ષણ, સંરક્ષણ અને

ઉપલબ્ધ પાણીના મહત્તમ ઉપયોગ માટે મુખ્ય વ્યૂહરચનાઓને અમલમાં મૂકવા માટે સમર્થન

મેળવવાનો હતો.”

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / રામાનુજ શર્મા / ડો

માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande