પાકિસ્તાની સુરક્ષા દળોના ઓપરેશનમાં, ચાર આતંકવાદીઓ માર્યા ગયા
પેશાવર, નવી દિલ્હી,17 ઓક્ટોબર (હિ.સ.) પાકિસ્તાની સુરક્ષા દળોએ ઉત્તર વઝીરિસ્તાનના મીર અલી વિસ્તારમાં એક હુમલાને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો છે, જેમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે,” એક આત્મઘાતી બોમ્બરે
પાક


પેશાવર, નવી દિલ્હી,17 ઓક્ટોબર (હિ.સ.)

પાકિસ્તાની સુરક્ષા દળોએ ઉત્તર વઝીરિસ્તાનના મીર અલી વિસ્તારમાં એક હુમલાને

સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો છે, જેમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,” એક આત્મઘાતી બોમ્બરે

ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો (આઈઇડી) થી ભરેલા વાહનને સુરક્ષા શિબિરની દિવાલ સાથે અથડાવી દીધું

હતું. આ દરમિયાન, ત્રણ અન્ય

સશસ્ત્ર આતંકવાદીઓએ કેમ્પમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.”

જોકે, સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યો અને તે બધાને ઠાર માર્યા.

હુમલાઓમાં સુરક્ષા દળો તરફથી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે,” છેલ્લા બે દિવસમાં વિવિધ સુરક્ષા કાર્યવાહીમાં 88 આતંકવાદીઓ

માર્યા ગયા છે.”

હિન્દુસ્થાન સમાચાર / નવની કરવલ / સચિન બુધૌલિયા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande