
પોરબંદર, 3 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લામા છેલ્લા 24 કલાકમા અપમૃત્યની ત્રણ ઘટના બની છે જેને પગલે ભારે ગમગીની છવાઈ ગઈ હતી પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા કૌશિક ભોગીલાલ પાઠક નામના પ્રૌઢ કેન્સરની બિમારીથી પીડતા હોય તેમણે આ બિમારીથી કંટાળી ઝેરી દવાપી આપઘાત કરી લીધો હતો અન્ય એક બનાવમા મોરાણા ખાતે રહેતા રણમલ ગીગા કારાવદરા નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી ટીકડા ખાઇ આપઘાત કરી લીધો હતો જયારે કડછ ગામે રહેતા અજય દિનેશભાઈ વાઘેલા નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમનુ સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya