લુણાવાડા, 23 ફેબ્રુઆરી (હિ.સ.). રાજ્યમાં વધી રહેલ માર્ગ અકસ્માત નિયંત્રણમાં લાવવાં અને લોકોને માર્ગ સલામતી માટે માર્ગદર્શન મળી રહે તે માટે માર્ગ
સલામતી અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, જેથી રાજ્યમાં અને જિલ્લામાં માર્ગ અકસ્માત અટકાવી શકાય.
રોડ સેફટી અભિયાન 2025 અંતર્ગત એઆરટીઓ લુણાવાડા ખાતે વડાગામ પ્રાથમિક શાળાએથી આરટીઓ કચેરીની વિઝીટ કરવા આવેલા વિદ્યાર્થીઓને આરટીઓ ઇન્સ્પેક્ટર એન કે પટેલ દ્વારા આરટીઓમાં થતી કામગીરી અને રોડ સેફટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને માર્ગ સલામતી સંકલ્પ પત્ર વાંચી વાલીની સહી લેવા માટે અપીલ કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય