જુનાગઢ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) જૂનાગઢ, તા.૨૫: મહાશિવરાત્રીના મેળામાં આરોગ્ય તંત્ર દ્વારા 7500 થી વધુ લોકોને જરૂરી આરોગ્ય સારવાર આપવામાં આવી છે. મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 10 જેટલા દવાખાના ઉભા કરવામાં આવ્યા છે. અહીં 20 ડોક્ટર સહિત 80 જેટલા આરોગ્ય કર્મીઓ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી રહ્યા છે.ભવનાથ વિસ્તારમાં 22 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીના મેળાની શરૂઆત થઈ છે. મેળામાં લોકોના આરોગ્યની ઈમરજન્સી સમયે પહોંચી વળાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી તબીબી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
મહાશિવરાત્રી મેળામાં લોકોને આરોગ્યને લગતી કોઈ તકલીફ જણાય તો સારવાર માટે દૂર જવું પડે નહી અને સમયસર સારવાર મળી રહે તે માટે ભવનાથ વિસ્તારમાં 10 મેડિકલ સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા વહીવટ તંત્રની આરોગ્યની સુવિધાઓ સ્થળ ઉપર મળે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી. જેના કારણે મહાશિવરાત્રીના મેળામાં આરોગ્ય વિભાગ દ્વારા તા.૨૨થી અત્યાર સુધીમાં 7500 થી વધુ લોકોને મેડિકલ સારવાર જરૂરિયાત ઉભી થતાં સ્થળ પર સારવાર આપવામાં આવી છે. ભવનાથ ખાતે નાકોડા હોસ્પિટલ એમ.ડી. ડોક્ટર સાથેની ટીમ કાર્યરત રાખવામાં આવી છે. જેમાં 350 થી વધારે લોકો સારવાર આપવામાં આવી છે અને વધુ સારવારની જરૂર પડે તો 108 મારફતે અન્ય હોસ્પિટલોમાં તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવાં માટે 8 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ