જૂનાગઢ,13 માર્ચ (હિ.સ.) ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નીવીર આર્મી ભરતી રેલી (2025-26 ) ની પસંદગી કસોટી માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે આયોજન કરવામાં આવ્યું છે. આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર જનરલ ડયુટી, અગ્નીવીર ટેક્નિકલ, અગ્નિવિર ક્લાર્ક,સ્ટોરકીપર ટેકનીકલ ધોરણ 12 પાસ માટે, અગ્નીવીર ટ્રેડમેન ધોરણ 8 પાસ તથા 10 પાસ માટે વિવિધ કક્ષા પર ભરતી યોજાવાની છે.
આ ભરતી રેલીમાં ભાગ લેવા માટે વયજૂથ મર્યાદા 1 ઓકટોબર,2004 થી 1 ઓગસ્ટ,2008 ની વચ્ચે જન્મેલા ફક્ત અપરણિત પુરુષ ઉમેદવારો પાસેથી http://www.joinindianarmy.nic.in આ વેબસાઈટ પર આગામી 10 એપ્રિલ,2025 સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેમાં ઓનલાઈન કોમ્પ્યુટર લેખિત પરીક્ષા (ONLINE CEE) પ્રથમ આપવાની રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ