જૂનાગઢમાં અગ્નિવીર આર્મી ભરતી રેલી માટે ઓનલાઈન પસંદગી કસોટી યોજાશે
જૂનાગઢ,13 માર્ચ (હિ.સ.) ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નીવીર આર્મી ભરતી રેલી (2025-26 ) ની પસંદગી કસોટી માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે આયોજન કરવામાં આવ્યું છે. આ લશ્ક
જૂનાગઢમાં અગ્નિવીર આર્મી ભરતી રેલી માટે ઓનલાઈન પસંદગી કસોટી યોજાશે


જૂનાગઢ,13 માર્ચ (હિ.સ.) ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નીવીર આર્મી ભરતી રેલી (2025-26 ) ની પસંદગી કસોટી માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે આયોજન કરવામાં આવ્યું છે. આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર જનરલ ડયુટી, અગ્નીવીર ટેક્નિકલ, અગ્નિવિર ક્લાર્ક,સ્ટોરકીપર ટેકનીકલ ધોરણ 12 પાસ માટે, અગ્નીવીર ટ્રેડમેન ધોરણ 8 પાસ તથા 10 પાસ માટે વિવિધ કક્ષા પર ભરતી યોજાવાની છે.

આ ભરતી રેલીમાં ભાગ લેવા માટે વયજૂથ મર્યાદા 1 ઓકટોબર,2004 થી 1 ઓગસ્ટ,2008 ની વચ્ચે જન્મેલા ફક્ત અપરણિત પુરુષ ઉમેદવારો પાસેથી http://www.joinindianarmy.nic.in આ વેબસાઈટ પર આગામી 10 એપ્રિલ,2025 સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેમાં ઓનલાઈન કોમ્પ્યુટર લેખિત પરીક્ષા (ONLINE CEE) પ્રથમ આપવાની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande