વલસાડ તાલુકા પંચાયત કચેરીનું નવુ મકાન બનાવાતા રસ્તો બંધ કરી ડાયવર્ઝન અપાયુ
વલસાડ, 1 એપ્રિલ (હિ.સ.) વલસાડ તાલુકા પંચાયત કચેરીનું મકાન તોડી આ જ જગ્યા પર તાલુકા પંચાયત કચેરીનું નવુ મકાન બનાવવા માટે વલસાડ તાલુકા પંચાયત કચેરીથી જિલ્લા પંચાયત કચેરીના પાછળના દરવાજા સુધીના રસ્તાને વાહન વ્યવહાર માટે બંધ કરી ડાયવર્ઝન અંગેનું જાહે
વલસાડ તાલુકા પંચાયત કચેરીનું નવુ મકાન બનાવાતા રસ્તો બંધ કરી ડાયવર્ઝન અપાયુ


વલસાડ, 1 એપ્રિલ (હિ.સ.) વલસાડ તાલુકા પંચાયત કચેરીનું મકાન તોડી આ જ જગ્યા પર તાલુકા પંચાયત કચેરીનું નવુ મકાન બનાવવા માટે વલસાડ તાલુકા પંચાયત કચેરીથી જિલ્લા પંચાયત કચેરીના પાછળના દરવાજા સુધીના રસ્તાને વાહન વ્યવહાર માટે બંધ કરી ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આર.જ્હા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

ગુજરાત પોલીસ અધિનિયમ 1951 (૨૨માં)ની કલમ 33 ની પેટા કલમ-1 (બી) અન્વયે મળેલી સત્તાની રૂએ તા. 01/04/2025 થી તા.31/05/2025 સુધી વલસાડ તાલુકા પંચાયત કચેરીથી જિલ્લા પંચાયત કચેરીના પાછળના દરવાજા સુધીના રસ્તા પરથી તમામ પ્રકારના વાહનોના આવન-જાવન માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી વાહન ચાલકો હવે ડાયવર્ઝન રૂટ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત કચેરી થઈ ડોક્ટર હાઉસ તરફથી જઈ શકાશે અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનથી વલસાડ ધરમપુર રોડ થઈ કલ્યાણ બાગ તરફ થઈ જઈ શકાશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande