નવી દિલ્હી, 08 મે (હિ.સ) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ બુધવારે રોહિત
શર્માને ટેસ્ટ ક્રિકેટમાંથી, નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવી. બોર્ડે તેમની શાનદાર
કારકિર્દીની પ્રશંસા કરી,
તેમના યોગદાનને 'પ્રેરણાદાયક અને
ઉત્કૃષ્ટ' ગણાવ્યું. રોહિતે
હવે ટેસ્ટ અને ટી-20 ફોર્મેટને
અલવિદા કહી દીધું છે, જોકે તે ભારતની
વનડે ટીમનો ભાગ રહેશે.
રોહિતે બુધવારે રાત્રે સોશિયલ મીડિયા પર, એક ભાવનાત્મક
પોસ્ટમાં તાત્કાલિક અસરથી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
2013 માં ડેબ્યૂ
કર્યું, 2025 સુધી ટેસ્ટ
ક્રિકેટમાં, શાનદાર સફર રહી
રોહિત શર્માએ 2013 માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ભારતના 35મા ટેસ્ટ કેપ્ટન
તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે 67 ટેસ્ટ મેચોમાં 4૦.57 ની સરેરાશથી 4,3૦1 રન બનાવ્યા, જેમાં 12 સદી અને
212 રનની શ્રેષ્ઠ ઇનિંગનો સમાવેશ થાય છે. આંકડા ઉપરાંત, તેમણે ભારતીય
ક્રિકેટ પ્રત્યે ધૈર્ય, નેતૃત્વ અને
સમર્પણનો મજબૂત વારસો છોડી દીધો છે.
મિડલ ઓર્ડરથી ઓપનર સુધીની સફર એક ઉદાહરણ બની
એક સમયે મિડલ ઓર્ડર બેટ્સમેન રહેલા રોહિત શર્માએ ટેસ્ટ
ક્રિકેટના સૌથી સફળ ઓપનરોમાંના એક તરીકે પોતાની જાતને સ્થાપિત કરી છે. તેમણે
ટેકનિકલ તાકાત અને આક્રમકતાના સંતુલન સાથે ટીમને મજબૂત શરૂઆત અપાવી. તેમણે ખૂબ જ
ગંભીરતા અને જવાબદારી સાથે ટેસ્ટ ક્રિકેટ રમ્યો.
કેપ્ટન તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી
રોહિતે 24 ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી ભારતે 12 ટેસ્ટ જીતી હતી.
તેણે સંક્રમણકાળમાંથી પસાર થઈ રહેલી અને ઈજાઓથી પીડાતી ટીમને મજબૂતીથી સંભાળી હતી.
તેમના નેતૃત્વએ યુવાનોને પ્રેરણા આપી અને તેમની બેટિંગે લાખો ચાહકોના દિલ જીતી
લીધા.
બીસીસીઆઈ પ્રમુખ અને સચિવે શુભેચ્છા પાઠવી
બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું, રોહિત શર્માનો
પ્રભાવ આંકડાઓથી આગળ છે. તેમણે ટીમને સ્થિરતા, આત્મવિશ્વાસ અને શિસ્ત આપી. તેમની નેતૃત્વ ક્ષમતા અને
સંયમિત સ્વભાવે ભારતીય ક્રિકેટને નવી દિશા આપી છે.
દરમિયાન, બીસીસીઆઈના માનદ સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, રોહિત શર્મા
માત્ર એક તેજસ્વી બેટ્સમેન જ નહોતા પરંતુ એક એવા કેપ્ટન પણ હતા, જેમણે હંમેશા
ટીમને પ્રાથમિકતા આપી હતી. તેમનું શિસ્ત, નમ્રતા અને શ્રેષ્ઠતા આજની પેઢી માટે એક ઉદાહરણ છે. ભારતીય
ક્રિકેટ હંમેશા તેમના યોગદાનનું ઋણી રહેશે.
રોહિત શર્મા, ભલે સફેદ ગણવેશમાંથી નિવૃત્ત થઈ ગયો હોય, પરંતુ તેમનું
યોગદાન, શૈલી અને નેતૃત્વ
ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં હંમેશા અમીટ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ