ભારત-પાકિસ્તાન તણાવને કારણે, સીએ ની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી
નવી દિલ્હી, 9 મે (હિ.સ.). દેશભરમાં તંગ સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ) એ, મે 2025 માં યોજાનારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (સીએ) પરીક્ષાઓના બાકીના પેપર્સ મુલતવી રાખવાની જાહેરાત કરી છે. આ પરીક્
ભારત-પાકિસ્તાન તણાવને કારણે, સીએ ની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી


નવી દિલ્હી, 9 મે (હિ.સ.). દેશભરમાં તંગ સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ) એ, મે 2025 માં યોજાનારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (સીએ) પરીક્ષાઓના બાકીના પેપર્સ મુલતવી રાખવાની જાહેરાત કરી છે. આ પરીક્ષાઓ 9 થી 14 મે દરમિયાન યોજાવાની હતી. શુક્રવારે એક જાહેર સૂચનામાં આઈસીએઆઈ એ જણાવ્યું હતું કે, 9 થી 14 મે દરમિયાન યોજાનારી તમામ પરીક્ષાઓ, જેમાં ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ-ક્વોલિફિકેશન કોર્સ પરીક્ષાઓ શામેલ છે, મુલતવી રાખવામાં આવી છે. સુધારેલી તારીખો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને અપડેટ્સ માટે, નિયમિતપણે સત્તાવાર વેબસાઇટ icai.org ની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande