કુમારપાળ બ્લડ બેંક દ્વારા, 91 બોટલ લોહી એકત્ર કરાય હતી
ઉદ્યોગ જગતના વિશાળ ઉદ્યોગપતિઓ, સમાજસેવીઓ તેમજ મહાનુભાવોની વિશિષ્ટ હાજરી રહી
યુવાનો, કર્મચારીઓ, ઉદ્યોગપતિઓ અને સમાજના અનેક સભ્યો સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું
ભરૂચ 1 જૂન (હિ.સ.)
લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ જિલ્લા, શ્રી સોળગામ લેઉવા પાટીદાર વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ભરૂચ અંકલેશ્વર તથા રેવા સોશ્યલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ-અંકલેશ્વર દ્વારા સંયુક્ત ઉપક્રમે 01/06/2025 ના રોજ માનવ મંદિર, અંકલેશ્વર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિબિરની શરૂઆત લઘુ ઉદ્યોગ ભારતીના તત્કાલીન અધ્યક્ષ બલદેવ પ્રજાપતિ અને અન્ય સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ખાસ કરીને આ પવિત્ર પ્રસંગે ઉદ્યોગ જગતના વિશાળ ઉદ્યોગપતિઓ, સમાજસેવીઓ તેમજ મહાનુભાવોની વિશિષ્ટ હાજરી રહી હતી.
શિબિર દરમિયાન કુલ 90 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે એક ઉલેખનીય સિદ્ધિ ગણાય. યુવાનો, ઉદ્યોગોમાં કાર્યરત કર્મચારીઓ, ઉદ્યોગપતિઓ અને સમાજના અનેક સભ્યોએ ઉત્સાહપૂર્વક સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સોળગામ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ કમલેશ ગામી, લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વરના પ્રમુખ કિશોર કાછડીયા અને રેવા ટ્રસ્ટના પ્રમુખ કિરણ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન અને સહયોગથી શિબિર અત્યંત સફળ અને પ્રેરણાદાયક રહી હતી.
આ રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ માનવસેવા તેમજ સામાજિક જવાબદારી માટે જાગૃતિ લાવવાનો રહ્યો છે જેમાં સમાજના દરેક વર્ગના લોકોની ભાગીદારી પ્રાપ્ત થઈ હતી. રક્તદાન શિબિરમાં એકત્ર થયેલ રક્ત આકસ્મિક સમયે જરૂરિયાતમંદ લોકોને મળે તેવો આસય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ