રાજસ્થાનના જયપુર ગ્રામીણ વિસ્તારમાં માર્ગ અકસ્માત, નવપરિણીત યુગલ સહિત પાંચ લોકોના મોત
જયપુર, નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.) રાજસ્થાનના જયપુર ગ્રામીણ વિસ્તારના રાયસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં નવપરિણીત યુગલ સહિત પાંચ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં છ અન્ય જાનૈયાઓ ગંભીર રીતે ઘાયલ થયા
અક્સ્માત


જયપુર, નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.)

રાજસ્થાનના જયપુર ગ્રામીણ વિસ્તારના રાયસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે

થયેલા માર્ગ અકસ્માતમાં નવપરિણીત યુગલ સહિત પાંચ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં

છ અન્ય જાનૈયાઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત સવારે 6:1૦ વાગ્યે

દૌસા-મનોહરપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ-148) પર ભટકાબાસ ગામ પાસે

થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર,”એક હાઇ સ્પીડ

ટ્રક (કેન્ટર) અને જીપ (તુફાન) સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે, જીપ

ચકનાચૂર થઈ ગઈ હતી અને શબવાહિની વાહનમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. સ્થાનિક લોકો અને

પોલીસની મદદથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.”

પોલીસ અધિક્ષક (જયપુર ગ્રામીણ) આનંદ શર્માના જણાવ્યા અનુસાર,”આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે.” રાયસર

પોલીસ સ્ટેશનના અધિકારી રઘુવીરએ જણાવ્યું હતું કે,” મધ્યપ્રદેશથી પરત ફરી રહેલા

લગભગ 14 થી 15 જાનૈયાઓ જીપમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમાં નવપરિણીત યુગલો, પરિવારના સભ્યો

અને સંબંધીઓનો સમાવેશ થાય છે. અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો ઊંઘી રહ્યા હતા.

ટક્કર બાદ હાઇવે પર અંધાધૂંધી સર્જાઈ ગઈ હતી અને લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

માહિતી મળતાં જ પોલીસે ઘાયલોને તાત્કાલિક જયપુરની નિમ્સહોસ્પિટલમાં

મોકલ્યા હતા. ઘાયલોને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે.

પ્રાથમિક તપાસમાં, પોલીસ કેન્ટર ચાલકની

બેદરકારી અને ઝડપી ગતિને અકસ્માતનું કારણ માની રહી છે. આરોપી કેન્ટર ચાલક વાહન

છોડીને ભાગી ગયો છે. પોલીસ તેની શોધ કરી રહી છે. હવે હાઇવે પર ટ્રાફિક સામાન્ય થઈ

ગયો છે.

રાયસર પોલીસ સ્ટેશનના અધિકારી રઘુવીરના જણાવ્યા અનુસાર, “પીડિત પરિવારોને માહિતી આપવામાં આવી છે. મૃતકોની ઓળખ

કરવામાં આવી રહી છે. આ અકસ્માતને કારણે લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ છે. બંને

પરિવારોમાં શોકનું મોજું છે. કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.”

હિન્દુસ્થાન સમાચાર / રોહિત / ઈશ્વર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande