નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) ભાગેડુ બ્રિટિશ શસ્ત્ર વેપારી સંજય ભંડારી
સાથે સંબંધિત, મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા, આજે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થયા નથી. રોબર્ટ વાડ્રા, તેમની પુત્રીના પદવીદાન
સમારોહમાં હાજરી આપવા માટે વિદેશ પ્રવાસ પર છે. હવે તેઓ વિદેશ પ્રવાસથી પરત ફર્યા
પછી તપાસમાં જોડાશે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે,” આ પહેલા 10 જૂને, તેઓ ફ્લૂ જેવા
લક્ષણો દર્શાવતા ઇડી દ્વારા, જારી કરાયેલા સમન્સમાં હાજર થયા ન હતા. તેથી, કેન્દ્રીય તપાસ
એજન્સીએ 17 જૂને હાજર થવા
માટે એક નવું સમન્સ જારી કર્યું હતું, જેના પર એવું કહેવામાં આવ્યું હતું કે, રોબર્ટ વાડ્રા
મંગળવારે ઇડી સમક્ષ હાજર થશે.”
રોબર્ટ વાડ્રાના વકીલે આજે જણાવ્યું હતું કે,” 56 વર્ષીય ઉદ્યોગપતિ તેમની પુત્રીના પદવીદાન
સમારોહમાં હાજરી આપવા માટે, વિદેશ પ્રવાસ પર છે.” તેમણે કહ્યું કે,” વાડ્રાએ
કોર્ટને આ અંગે પહેલાથી જ જાણ કરી દીધી છે.” વાડ્રાના વકીલે કહ્યું કે,” તેઓ તેમના
વિદેશ પ્રવાસથી પરત ફર્યા પછી તપાસમાં જોડાશે.”
ઇડી,રોબર્ટ વાડ્રા અને લંડનમાં બે મિલકતો વચ્ચે, કથિત સંબંધોની
તપાસ કરી રહી છે - એક 12,
બ્રાયન્સ્ટન
સ્ક્વેર અને બીજી ગ્રોસવેનર હિલ કોર્ટ, 13 બોર્ડન સ્ટ્રીટ ખાતે છે. અધિકારીઓનો દાવો છે કે,”
બ્રાયન્સ્ટન સ્ક્વેર મિલકતનું નવીનીકરણ રોબર્ટ વાડ્રાના નિર્દેશ પર કરવામાં આવ્યું
હતું. જેમણે તેને ભંડોળ
પૂરું પાડ્યું હતું અને ઘણી વખત ત્યાં રહ્યા હતા. આ ઉપરાંત, ભારતમાં કેટલાક
જમીન પ્લોટ તેમજ મિલકતોની પણ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ, કથિત
ગુનાની આવક તરીકે તપાસ કરવામાં આવી રહી છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ