નલધરીની ખાડીમાં વાલિયાની કોઈ કંપનીએ કેમિકલ વેસ્ટ છોડી દીધું
-વરસાદના પાણી સાથે કાળું,ગંદુ ,એસિડિક તેમજ તીવ્ર વાસ મારતું પાણીના નિકાલનો કારસો -બે દિવસ પહેલા વટારીયાના અમૃત સરોવરને ઝેરી બનાવી જળચરોને મારી નાખ્યા -નલધરી અને વટારીયાના કોતરનું પાણી અમરાવતી નદીમાં ભળે છે -અંકલેશ્વર જીપીસીબીના રીજીયોનલ અધિકારીને
નલધરીની ખાડીમાં વાલિયાની કોઈ કંપનીએ કેમિકલ વેસ્ટ છોડી દીધું


નલધરીની ખાડીમાં વાલિયાની કોઈ કંપનીએ કેમિકલ વેસ્ટ છોડી દીધું


નલધરીની ખાડીમાં વાલિયાની કોઈ કંપનીએ કેમિકલ વેસ્ટ છોડી દીધું


નલધરીની ખાડીમાં વાલિયાની કોઈ કંપનીએ કેમિકલ વેસ્ટ છોડી દીધું


-વરસાદના પાણી સાથે કાળું,ગંદુ ,એસિડિક તેમજ તીવ્ર વાસ મારતું પાણીના નિકાલનો કારસો

-બે દિવસ પહેલા વટારીયાના અમૃત સરોવરને ઝેરી બનાવી જળચરોને મારી નાખ્યા

-નલધરી અને વટારીયાના કોતરનું પાણી અમરાવતી નદીમાં ભળે છે

-અંકલેશ્વર જીપીસીબીના રીજીયોનલ અધિકારીને પુરાવા સાથે જાણ કરતા સેમ્પલ લીધા

-ગયા વર્ષે પણ કનેરાવ ખાતેના તળાવમાં કેમિકલ યુક્ત વેસ્ટ છોડ્યો હતો ની ફરિયાદ સાંસદે કરેલ

ભરૂચ 3 જૂન (હિ.સ.) વટારીયા અમૃત સરોવરના જળચર મરવા બાબતની ઘટનાની સહી સુકાય નથી ત્યાં આજે ફરી નલધરી કોતરમાં વરસાદના પાણીમાં ગોદરેજ અને ઇન્ટાસ કંપની બાજુથી આવતા કોતરમાં કાળુ,ગંદુ ,એસિડિક તેમજ તીવ્ર દુર્ગંધ મારતું કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાયું હતું.વરસાદના પાણીમાં કેમિકલ વેસ્ટ નિકાલ કરવાની વર્ષોથી ચાલતી આ મોડસ ઓપરેન્ડી વાલિયામાં આવેલી કંપનીઓની છે.

વાલિયા તાલુકાના નલધરી ગામ નજીક રાજ્યધોરીમાર્ગ નંબર 13 પર આવેલ ખાડીમાં કોઈ કંપનીએ વરસાદી પાણી સાથે તેનું કેમિકલ વેસ્ટ છોડી નિકાલ કરવાનું ષડયંત્ર રચ્યુ હતું.નલધરીની ખાડીમાં રાત્રે તેમજ વહેલી સવારે વરસતા વરસાદમાં કાળુ કેમિકલ યુક્ત એસિડિક પ્રવાહી વહેતું હતું. તેમાં તીવ્ર વાસ પણ આવતી હોય આ બાબતની જાણ અંકલેશ્વર જીપીસીબીના રીજીયોનલ મેનેજર વિજય રાખોલીયાને કરવામાં આવી હતી.મારી ટીમને મોકલું છું સેમ્પલ લઈ પૃથક્કરણ માટે મોકલી દેવાશે.

આ બાબતે અંકલેશ્વર જીપીસીબીના રીજીયોનલ મેનેજરને સવારે 8 વાગ્યે જાણ કરી પુરાવા મોકલ્યા હતા સેમ્પલ લેવડાવી લઉં છું તેમ કહેવા છતાં બે વાગ્યા સુધી આ કેમિકલ વેસ્ટ વરસાદમાં નિકાલ થઈ જવાની રાહ જોતા હોય તેમ કોઈ ફરક્યું નહી.ખૂબ ગંભીર કહી શકાય તેવી ઘટના છતાં મલ્ટીનેશનલ કંપનીઓ સાથેની સાંઠગાંઠ હોય તેમ જીપીસીબી બેદરકારી રાખી હજારો જળચરના મૃત્યુ માટે જવાબદાર છે.આ કોતરનુ રસાયણ યુક્ત એસિડિક પ્રવાહી વરસાદમાં અમરાવતી નદીમાં ભળે છે .તેમાં અગાવ હજારો માછલા મૃત જોવા મળ્યા હતા ત્યારે પણ કોઈ કાર્યવાહી નહી કરી જીપીસીબીએ બેદરકારી રાખી હોવાના અહેવાલ મળ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande