સુરત, 30 જૂન (હિ.સ.)- અમરોલી કોસાડ આવાસમાં રહેતા આધેડે માત્ર આઠ વર્ષની માસુમ બાળકી પર દાનત બગાડી હતી. માસુમ બાળકીને પહેલા આલુપુરી અપાવી બાદમાં મારા ઘરે આવજે અને 20 રૂપિયા આવીશ આપીશ તેવી લાલચ આપી છેડતી કરી હતી. એટલું જ નહીં પરંતુ જો આ વાતને જાણ કોઈને કરશે તો તને ગળું દબાવીને મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જેથી આખરે ભોગ બનનાર બાળકી એ સઘળી હકીકત માતાને જણાવતા તેઓએ આ મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આધેડ સામે છેડતીનો ગુનો દાખલ કરી મોડી રાત્રે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસમાં રહેતા મુકતાર ઈશા શેખ નામના 40 વર્ષના આધેડે તેના ઘર પાસે રહેતી માત્ર આઠ વર્ષની માસુમ બાળકી પરત બગાડી હતી. ગત તારીખ 24/6/2025 ના રોજ બપોરે 12:30 વાગ્યાના અરસામાં માસુમ બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે મુક્તાર શેખે તેની પાસે જઈ તેને આલુપુરી અપાવી હતી. ત્યારબાદ માસુમ બાળકીનો હાથ પકડી મારા ઘરે આવજે તો હું તને 20 રૂપિયા આપીશ તેમ કહી તેની છેડતી કરી હતી.
એટલું જ નહીં પરંતુ જો આ બાબતે કોઈને વાત કરીશ તો તને ગળું દબાવીને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી આખરે માસુમ બાળકી ઘરે ગયા બાદ તેની સઘળી હકીકત માતાને જણાવી હતી. બનાવને પગલે પરણીતાએ સઘળી હકીકત પતિને જણાવ્યા બાદ અમરોલી પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મુક્તાર શેખ સામે છેડતીનો ગુનો દાખલ કરી મોડી રાત્રે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે