અડાજણમાં પીજીમાં રહેતા વિદ્યાર્થીનો મોબાઈલ અને લેપટોપ ચોરાયું
સુરત, 30 જૂન (હિ.સ.)- શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ ડેઝર્ટ પીજીમાં રહેતા અને અભ્યાસ કરતા યુવકે ગતરોજ રાંદેર પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. મળસ્કે કોઈ ચોર ઈસમોએ વિધ્યાર્થીના રૂમમાં પ્રવેશી તેનો મોબાઈલ તથા લેપટોપ તથા બાજુની
અડાજણમાં પીજીમાં રહેતા વિદ્યાર્થીનો મોબાઈલ અને લેપટોપ ચોરાયું


સુરત, 30 જૂન (હિ.સ.)- શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ ડેઝર્ટ પીજીમાં રહેતા અને અભ્યાસ કરતા યુવકે ગતરોજ રાંદેર પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. મળસ્કે કોઈ ચોર ઈસમોએ વિધ્યાર્થીના રૂમમાં પ્રવેશી તેનો મોબાઈલ તથા લેપટોપ તથા બાજુની રૂમમાં રહેતા યુવક નો પણ મોબાઈલ મળી કુલ બે મોબાઈલ અને લેપટોપની ચોરી કરી અજાણ્યો ઈસમ પલાઇન થઈ ગયો હતો. જેથી પોલીસે ભોગ બનનાર વિદ્યાર્થીની ફરિયાદને આધારે અજાણ્યા ચોર ઈસમ સામે રૂપિયા 75,000 ની ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ મહેસાણાના વિસનગરનો વતની અને હાલમાં સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ મુક્તાનંદ રોડ પર કૃષ્ણનગર સોસાયટીમાં બીજા માળે આવેલ ડેઝર્ટ પીજીમાં રહેતો 19 વર્ષીય જયવીર ઈશ્વરલાલ ચૌધરી અભ્યાસ કરે છે. ગત તારીખ 29/6/2025 ના રોજ સવારમાં ચાર વાગ્યાથી 7:30 વાગ્યાના સમયગાળા દરમિયાન તેને ઊંઘ આવી ગઈ હતી. આ દરમિયાન તેમનો મોબાઈલ અને લેપટોપ રૂમમાં પડ્યું હતું. ત્યારે કોઈ અજાણ્યા ચોર સામે જયવીરના રૂમમાં પ્રવેશી રૂપિયા 25,000 ની કિંમત નો મોબાઇલ તથા રૂપિયા 35,000 કિંમતનું લેપટોપની ચોરી કરી હતી. એટલું જ નહીં પરંતુ અજાણ્યા ચોર ઈસમે જયવીરની બાજુની રૂમમાં રહેતા ગૌસ્વામી યજ્ઞેશ તુલસીભાઈ (રહે સનખલા ભાણવડ દેવભૂમિ દ્વારકા) ના રૂમમાંથી પણ તેમનો રૂપિયા 15000 ની કિંમત નો મોબાઇલ ચોરી અજાણ્યા ચોર ઈસમો પલાયન થઈ ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર જયવીર ની ફરિયાદને આધારે રાંદેર પોલીસે અજાણ્યા ચોર કિશમ સામે રૂપિયા 75 હજારની ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande