અરજણસર ગામમાં મકાનમાં ઘુસીને તસ્કરો દ્વારા દાગીનાની ચોરી
પાટણ, 30 જૂન (હિ.સ.) : રાધનપુર તાલુકાના અરજણસર ગામમાં તસ્કરોએ એક મકાનમાં ઘુસી સોના-ચાંદીના દાગીના ચોરી કરવાની ઘટનાને અંજામ આપ્યો છે. તસ્કરો વાસુદેવભાઈ બજરંગદાસ સાધુના મકાનમાં ધાબા પરથી સીડી મૂકીને પ્રવેશ્યા હતા અને અંદરના ખંડમાં રાખેલી લાકડાની તિજોરી
અરજણસર ગામમાં મકાનમાં ઘુસીને તસ્કરો દ્વારા દાગીનાની ચોરી


પાટણ, 30 જૂન (હિ.સ.) : રાધનપુર તાલુકાના અરજણસર ગામમાં તસ્કરોએ એક મકાનમાં ઘુસી સોના-ચાંદીના દાગીના ચોરી કરવાની ઘટનાને અંજામ આપ્યો છે. તસ્કરો વાસુદેવભાઈ બજરંગદાસ સાધુના મકાનમાં ધાબા પરથી સીડી મૂકીને પ્રવેશ્યા હતા અને અંદરના ખંડમાં રાખેલી લાકડાની તિજોરી તોડી હતી.

આ ચોરી 25 જૂન સાંજે 7 વાગ્યાની આસપાસથી 26 જૂન બપોરે 12 વાગ્યા સુધીની વચ્ચે થઈ હોવાનું અનુમાન છે. તસ્કરો તિજોરીમાંથી સોનાની 5 વીંટી (10 ગ્રામ, રૂ. 42,000), 3 સોનાના ઓમ (5 ગ્રામ, રૂ. 21,000) અને 25 ચાંદીના સિક્કા (રૂ. 11,750) મળીને કુલ રૂ. 74,750ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

હાલમાં સાતેજ (તા. કલોલ, જી. ગાંધીનગર)માં રહેતા 62 વર્ષીય વાસુદેવભાઈએ રાધનપુર પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande