પોરબંદર, 30 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ત્રીજા દિવસે પોરબંદર જિલ્લાના ઇન્ચાર્જ પુરવઠા અધિકારી પ્રતીક જાખડે બિલેશ્વર અને ખંભાળાની શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. ઇન્ચાર્જ પુરવઠા અધિકારીની ઉપસ્થિતમાં બિલેશ્વર પે સેન્ટર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 7 બાળકો આંગણવાડી,17 બાળકો બાલવાટિકામાં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો ત્યારબાદ સરકારી માધ્યમિક શાળા બિલેશ્વર ખાતેથી ધોરણ 9માં 23 વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો. ખંભાળા પે સેન્ટર શાળા ખાતે પણ ઇન્ચાર્જ પુરવઠા અધિકારીની અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 3 બાળકો આંગણવાડી,30 બાળકો બાલવાટિકામાં અને ધોરણ- 1માં 3 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકોએ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવામાં આવ્યો હતા તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે બેઠક કરી હતી અને શિક્ષણને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya