પાટણ, 30 જૂન (હિ.સ.) : ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા પાટણ શહેરમાં કાર્યરત વીજ ફરિયાદ કેન્દ્રનું સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ જૂના પાવર હાઉસ ખાતે કાર્યરત રહેલું આ કેન્દ્ર હવે નવા સ્થળે કાર્યરત થશે.
આ કેન્દ્ર 1 જુલાઈ 2025થી પાટણ શહેરના 132 KV સબ સ્ટેશન ખાતે કાર્યરત થશે, જે ચાણસ્મા હાઈવે ઓવરબ્રિજની બાજુમાં આવેલું છે. આ જ પ્રાંગણમાં UGVCLની પાટણ શહેર-1 અને પાટણ શહેર-2 પેટા વિભાગીય કચેરીઓ પણ આવેલી છે.
વીજ ગ્રાહકોને વધુ સગવડ અને વહીવટી પ્રક્રિયાઓ સરળ બનાવવાના હેતુથી આ ફેરફાર કરવામાં આવ્યો છે. ગ્રાહકો વીજ ફરિયાદ માટે 02766 232555 અથવા 99252 18040 પર સંપર્ક કરી શકે છે. તમામ વીજ ગ્રાહકોને સ્થળાંતરની માહિતીની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર