નવસારી, 8 જૂન (હિ.સ.)- નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં દહેશત ફેલાવતી ઘટના બની છે, જ્યાં વિધિ કરવા ગયેલા વ્યક્તિની તેના જ મિત્રએ જઘન્ય રીતે હત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે. મૃતક ઝીણાભાઈ મંગળભાઈ પટેલ (રહે. વાઘાબારી ગામ)નું શવ વાંદરવેલા ગામના પાવડી ફળિયાની પાસે નદીના કોતરામાંથી મળી આવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે કોઈ અજાણ્યા શખ્સે ઝીણાભાઈના માથામાં તિક્ષણ હથિયાર વડે હુમલો કરી અને પછી મોઢા પર જ્વલનશીલ પદાર્થ ઢાળી તેમને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને ગંભીરતા પૂર્વક લેતાં ચીખલી ડીવાયએસપી, એલસીબી, અને વાંસદા પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ-હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા તપાસ કરી હત્યા માટે ધરપકડ કરી.
જાણવામાં આવ્યું છે કે આરોપી ધીરુભાઈ મીઠ્ઠલભાઈ પટેલ (મિત્ર અને ગામજનો) પેટે દુઃખાવાના ઈલાજ માટે ઝીણાભાઈ સાથે વિધિ કરવા ગયો હતો. વિધિ દરમિયાન કોઈક મુદ્દે તકલીફ થઈ અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધીરુભાઈએ ગુસ્સામાં આવી ઝીણાભાઈની હત્યા કરી નાખી. હત્યાની પાછળનું ચોક્કસ કારણ હાલ પૂછપરછ હેઠળ છે.
પોલીસે આરોપી ધીરુભાઈને ઝડપી લેવામાં આવ્યો છે અને સમગ્ર મામલાની વધુ તપાસ ચાલી રહી છે.
ઘટનાએ ગામમાં ચકચાર જગાવી છે અને લોકોમાં ભયનો માહોલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે