નવી દિલ્હી, 01 જુલાઈ (હિ.સ.) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ની આઠમી વર્ષગાંઠ
પર, પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે,” પરોક્ષ કર વ્યવસ્થા એક ઐતિહાસિક સુધારા તરીકે
ઉભી છે, જેણે ભારતના
આર્થિક પરિદૃશ્યને ફરીથી આકાર આપ્યો છે.” પ્રધાનમંત્રીએ કહ્યું, પાલન બોજ ઘટાડીને, તેણે વ્યવસાય
કરવાની સરળતામાં ઘણો સુધારો કર્યો છે, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે.
પ્રધાનમંત્રીએ એક્સપોસ્ટ પર એક ફોટો શેર કર્યો અને લખ્યું, “જીએસટી આઠ વર્ષથી
લાગુ કરવામાં આવી રહ્યો છે. તે એક ઐતિહાસિક સુધારા તરીકે ઉભરી આવ્યો છે, જેણે ભારતના
આર્થિક પરિદૃશ્યને ફરીથી આકાર આપ્યો છે. પાલન બોજ ઘટાડીને, તેણે વ્યવસાય
કરવાની સરળતામાં ઘણો સુધારો કર્યો છે, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે.”
પ્રધાનમંત્રીએ કહ્યું કે,” જીએસટી એ આર્થિક વિકાસ માટે એક
શક્તિશાળી એન્જિન તરીકે પણ કામ કર્યું છે. આ સાથે, તેણે ભારતના બજારને એકીકૃત કરવાની આ યાત્રામાં
રાજ્યોને સમાન ભાગીદાર બનાવીને સાચા સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપ્યું છે. જીએસટીના વર્તમાન
માળખામાં 05%, 12%, 18% અને 28% ના ચાર મુખ્ય
સ્લેબ છે. આ દરો દેશભરમાં મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ પર લાગુ થાય છે.”
ઉલ્લેખનીય છે કે, જીએસટી1 જુલાઈ, 2017 ના રોજ દેશમાં લાગુ કરવામાં આવ્યો હતો, જેના કારણે દેશની
કર પ્રણાલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2024-25 માં, જીએસટીકલેક્શન રેકોર્ડ રૂ. 22.08 લાખ કરોડ સુધી પહોંચ્યું, જે પાછલા નાણાકીય વર્ષની તુલનામાં 9.4 ટકાનો વધારો છે.
જીએસટીએ લગભગ 17 સ્થાનિક કર અને 13 સેસને
પાંચ-સ્તરીય માળખામાં સમાવિષ્ટ કર્યા છે, જેનાથી કર પ્રણાલી સરળ બની છે. એપ્રિલ 2025 માં, માસિક જીએસટી કલેક્શન
રૂ. 2.37 લાખ કરોડના
રેકોર્ડ સ્તરે પહોંચ્યું.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ