ગીર સોમનાથ 12 જુલાઈ (હિ.સ.) વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જૂનાગઢ જીએમઈએઆરએસ મેડિકલ કોલેજ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
દર વર્ષે તા. ૧૧ જુલાઈ ને “વિશ્વ વસ્તી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. કોઈ પણ દેશ કે સમાજના વિકાસ માટે જનસંખ્યા એક મહત્વપૂર્ણ પરિબણ છે પરંતુ જનસંખ્યા અસંતુલીત રીતે વધે છે ત્યારે તે અનેક પડાકારો ઉભા કરે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય જનસંખ્યા સબંધિત મુદ્દાઓ પ્રત્યે વૈશ્વીક જાગૃતી લાવવાનો છે. વિશ્વ વસ્તી દિવસ ૨૦૨૫ નુ સૂત્ર : “ માં બનવાની ઉંમર એ જ, જ્યારે શરીર અને મન તૈયાર હોય” છે. વિશ્વ વસ્તી દિવસ ૨૦૨૫ ની ઉજવણીના હેતુથી તા. ૧૧ જુલાઈ ૨૦૨૫ ના રોજ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા જી.એમ.ઈ.આર.એસ મેડીકલ કોલેજ, જૂનાગઢ ખાતે જનજાગૃતી માટે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં ધારાસભ્ય સંજય ભાઈ કોરડીયા, ચેરરમેન આરોગ્ય સમીતી સોમાતભાઈ વાસણ, ડીન મેડિકલ કોલેજ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. અલ્પેશ સાલ્વી,સિવિલ સર્જન ડો. પાલા , અધિક ડીન , ડો. દિનેશ પરમાર, વિપુલભાઈ કાવાણી, અનકભાઈ ભોજક વિગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર રહેલ મહાનુભાવો દ્વારા વસ્તી વિષયક મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવેલ.
આ કાર્યક્રમમાં આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ તંત્ર હેઠળના કાર્યરત ૮૦ જેટલા આરોગ્ય કર્મચારી/અધિકારીઓ તેમજ પ્રસૂતી વિભાગ GMERS જૂનાગઢ ને વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન સ્વાસ્થ્ય સેવાલક્ષી સરકારની યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચાડી ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરવા બદલ, માહાનુભાવોના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા ADHO ડો. ઝાલા, RCHO ડો. સુતરીયા તેમજ સમગ્ર આરોગ્ય શાખા ની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ