'વિકસિત ભારત'નું સ્વપ્ન, ફક્ત દિવ્યાંગોની પ્રગતિથી જ સાકાર થશે: રાજ્યપાલ
મુંબઈ, નવી દિલ્હી, 06 ઓગસ્ટ (હિ.સ.) મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને બુધવારે જણાવ્યું હતું કે,” દિવ્યાંગોની પ્રગતિથી જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે.” તેમણે કહ્યું કે,” ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બનવા તરફ આગળ વધી
રાજ્યપાલ


મુંબઈ, નવી દિલ્હી, 06 ઓગસ્ટ (હિ.સ.)

મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને બુધવારે જણાવ્યું હતું કે,” દિવ્યાંગોની

પ્રગતિથી જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે.” તેમણે કહ્યું કે,” ભારત 2047 સુધીમાં વિકસિત

દેશ બનવા તરફ આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં બૌદ્ધિક રીતે

દિવ્યાંગ લોકોના પુનર્વસન અને સર્વાંગી વિકાસ માટે રમતગમત કેન્દ્રો હોવા જોઈએ.”

રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન બુધવારે મુંબઈ યુનિવર્સિટીના

સભાગૃહમાં આયોજિત રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2025 ના ઇનામ વિતરણ સમારોહને સંબોધિત કરી રહ્યા હતા

ત્યારે રાજ્યપાલે કહ્યું કે,” 2016 માં લાગુ કરાયેલા દિવ્યાંગતા અધિકાર કાયદા હેઠળ, દિવ્યાંગ

લોકોની શ્રેણીઓમાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત, કેન્દ્રીય સેવાઓમાં દિવ્યાંગ લોકો માટે અનામત

ત્રણથી વધારીને ચાર ટકા કરવામાં આવ્યું છે અને શિક્ષણમાં તે પાંચ ટકા કરવામાં

આવ્યું છે.”

રાજ્યપાલે કહ્યું કે,” મહારાષ્ટ્રમાં એક અલગ 'દિવ્યાંગ કલ્યાણ

વિભાગ'ની સ્થાપના

કરવામાં આવી છે. આ વિભાગ હેઠળ માનસિક રીતે વિકલાંગ બાળકો માટે અનેક મહત્વપૂર્ણ

પહેલો, અમલમાં મૂકવા બદલ રાજ્ય સરકારને અભિનંદન. માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓની

સમસ્યાઓ અન્ય વિકલાંગ વ્યક્તિઓ કરતાં અલગ અને વધુ સંવેદનશીલ હોય છે.”

કાર્યક્રમમાં વિકલાંગ કલ્યાણ મંત્રી અતુલ સેવ, સ્પેશિયલ

ઓલિમ્પિક્સ ઈન્ડિયાના પ્રમુખ ડૉ. મલ્લિકા નડ્ડા, સ્પેશિયલ ઓલિમ્પિક્સ ઈન્ડિયા મહારાષ્ટ્ર શાખાના

પ્રમુખ ડૉ. મેધા સોમૈયા, મહારાષ્ટ્ર

સ્પેશિયલ ઓલિમ્પિક્સ ઈન્ડિયાના મહાસચિવ ડૉ. ભગવાન તલવારે, રમતવીરો કરણ નાઈક, મુર્તુજા

વર્દાવાલા વગેરે હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande