એનએસસીએન(કે) ને, પાંચ વર્ષ માટે ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સમાજવાદી નાગાલેન્ડ-ખાપલાંગ પરિષદ એનએસસીએન(કે)અને તેના તમામ જૂથો, શાખાઓ અને ફ્રન્ટ સંગઠનોને તાત્કાલિક અસરથી પાંચ વર્ષ માટે ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યા છે. સોમવારે જ
મંત્રાલય


નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સમાજવાદી નાગાલેન્ડ-ખાપલાંગ પરિષદ

એનએસસીએન(કે)અને તેના તમામ

જૂથો, શાખાઓ અને ફ્રન્ટ

સંગઠનોને તાત્કાલિક અસરથી પાંચ વર્ષ માટે ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યા છે.

સોમવારે જારી કરાયેલા એક જાહેરનામામાં, ગૃહ મંત્રાલયે

જણાવ્યું હતું કે,” એનએસસીએન(કે)

ભારતની

સાર્વભૌમત્વ અને અખંડિતતાને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓમાં સામેલ છે. સંગઠને ભારતીય

સંઘથી અલગ થવાનું અને ભારત-મ્યાનમાર ક્ષેત્રના નાગા વસ્તીવાળા વિસ્તારોને સમાવીને

એક અલગ સાર્વભૌમ નાગાલેન્ડ બનાવવાનું પોતાનું લક્ષ્ય જાહેર કર્યું છે અને ઉલ્ફા(આઈ), પ્રીપાકઅને પીએલએજેવા અન્ય

ગેરકાયદેસર સંગઠનો સાથે જોડાણ કર્યું છે. તે ખંડણી માટે અપહરણ અને વેપારીઓ, સરકારી અધિકારીઓ

અને અન્ય નાગરિકો પાસેથી પૈસા ઉઘરાવવામાં રોકાયેલું છે. તેની પાસે ગેરકાયદેસર

શસ્ત્રો અને દારૂગોળો છે. તેને શસ્ત્રો અને અન્ય સમર્થન મેળવવા માટે અન્ય દેશોમાં

ભારત વિરોધી દળો પાસેથી સહાય મળી છે.

સૂચના મુજબ, 2020 થી 2025 ની વચ્ચે, સંગઠન વિરુદ્ધ 71 કેસ નોંધાયા હતા, 85 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી અને 69 લોકોએ

આત્મસમર્પણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં શસ્ત્રો, દારૂગોળો, ગ્રેનેડ અને

વિસ્ફોટકો મળી આવ્યા હતા. કેન્દ્ર સરકારનું માનવું છે કે, રાષ્ટ્રીય

સમાજવાદી પરિષદ નાગાલેન્ડ (ખાપલાંગ) ની અસંખ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ધ્યાનમાં

રાખીને, તેને, તેના તમામ જૂથો, શાખાઓ અને ફ્રન્ટ

સંગઠનો સાથે, 28 સપ્ટેમ્બરથી

તાત્કાલિક અસરથી ગેરકાયદેસર જાહેર કરવું જરૂરી છે. આ આદેશ પાંચ વર્ષ માટે અમલમાં

રહેશે.

આ નિર્ણય નાગાલેન્ડ, મણિપુર અને અરુણાચલ પ્રદેશની સરકારોની ભલામણ પર લેવામાં

આવ્યો હતો. સરકારનું માનવું છે કે જો સંગઠનને તાત્કાલિક રોકવામાં નહીં આવે, તો તે તેના

રાષ્ટ્રવિરોધી અભિયાનને ફરીથી સંગઠિત અને તીવ્ર બનાવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande