નારણપુરા સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું અમિત શાહના હસ્તે ભૂમિપૂજન
અમદાવાદ, 14 જાન્યુઆરી (હિ.સ.)-અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ હેઠળના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું મકરસંક્રાંતિના પર્વે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગ
અમિત શાહ


અમદાવાદ, 14 જાન્યુઆરી (હિ.સ.)-અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ હેઠળના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું મકરસંક્રાંતિના પર્વે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને આધુનિક સુવિધાઓ સાથે સુરક્ષિત અને સુવ્યવસ્થિત આવાસો પૂરા પાડવા માટે વિવિધ હાઉસિંગ બોર્ડની યોજનાઓનું રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. શહેરના સુવ્યવસ્થિત વિકાસમાં આ પ્રકારની યોજનાઓ મહત્વની ભૂમિકા ભજવે છે.

આ યોજના અંતર્ગત કુલ 132 મૂળ રહીશ લાભાર્થીઓને હાલના 36.82 ચો.મી.ના બદલે 51.54 ચો.મી. વિસ્તારના નવા મકાનો આપવામાં આવશે. ઉપરાંત 144 રહેણાંક મકાનો અને 41 દુકાનો મુક્ત વેચાણ માટે બનાવવામાં આવશે.

નવા મકાનોમાં RCC ફ્રેમ ટેક્નોલોજીથી બાંધકામ, કમ્પાઉન્ડ વોલ, આંતરિક રસ્તાઓ અને પાર્કિંગ, લિફ્ટ સુવિધા, ગટર વ્યવસ્થા, સિક્યોરિટી કેબિન, ફાયરફાઈટિંગ સિસ્ટમ, પાણી કનેક્શન, અગાસી પર વોટરપ્રૂફિંગ, સોલાર સિસ્ટમ, વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા, લેન્ડસ્કેપ ગાર્ડનિંગ તેમજ આપાતકાલીન સ્થિતિ માટે જનરેટર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પીપીપી ધોરણે તૈયાર થનાર આ એમઆઈજી સ્કિમનું ભૂમિપૂજન મકરસંક્રાંતિના પર્વે થતા રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય જિતેન્દ્રભાઈ પટેલ અને હર્ષદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ એમ. થેન્નારસન, ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande