યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)ના નિયમો મુજબ, યુનિવર્સિટીએ રોજ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક
સોમનાથ, 16 જાન્યુઆરી (હિ.સ.) યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)ના નિયમો મુજબ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના Ph.D. સંશોધકો માટે 15-01-2026ના રોજ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક (6-Monthly Ph.D. Progress Report Review Meeting)નું આયોજન
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી


સોમનાથ, 16 જાન્યુઆરી (હિ.સ.) યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)ના નિયમો મુજબ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના Ph.D. સંશોધકો માટે 15-01-2026ના રોજ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક (6-Monthly Ph.D. Progress Report Review Meeting)નું આયોજન કર્યું હતું. તેમાં સાહિત્ય વિષયના Ph.D. સંશોધકો ઉપસ્થિત રહ્યાં હતાં.

બાહ્ય-વિષય નિષ્ણાતરૂપે અધ્યક્ષ અને પ્રોફેસર, સંસ્કૃત વિભાગ, ક્રાન્તિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજના પ્રો. કશ્યપ ત્રિવેદી, અત્રેની યુનિવર્સિટીના પ્રધાનાચાર્ય નરેન્દ્રકુમાર પંડ્યા માર્ગદર્શકરૂપે ઉપસ્થિત રહ્યા હતાં. સાહિત્ય સંકાયના અધ્યક્ષ અને માર્ગદર્શ ડૉ. ડી. એમ. મોકરીયા, માર્ગદર્શકરૂપે અત્રેની યુનિવર્સિટીના ડૉ. જિગર ભટ્ટ અને સભ્યસચિવ તથા માર્ગદર્શકરૂપે અત્રેના સંશોધન અધિકારી ડૉ. કાર્તિકકુમાર પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકના સંયોજક સંશોધન અધિકારી ડૉ. કાર્તિકકુમાર પંડ્યા હતા. સંકલનકર્તા તરીકે રિસર્ચ એડવાઈઝર ફેસિલીટેટર રાહુલ ત્રિવેદીએ કામગીરી કરી હતી. સમગ્ર બેઠકનું મંચ સંચાલન અત્રેની શોધછાત્રા વૈશાલી બારડે કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande