
સોમનાથ,05 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાત રાજયના 15 થી 35 વર્ષની વય મર્યાદા ધરાવતા ચુનંદા તરવૈયા યુવક યુવતીઓને સમુદ્ર તરણ પ્રશિક્ષણ આપી લાંબા અંતરની સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર કરવાની પુર્વ ભૂમિકા રૂપે કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે દર વર્ષ 10 દિવસની સમુદ્ર તરણ તાલીમ પ્રશિક્ષણ યોજવામાં આવે છે.
ચાલુ વર્ષે સંભવિત જાન્યુઆરી/ફેબ્રુઆરી-2026 ના અનુકૂળ 10 દિવસ દરમિયાન વેરાવળ ખાતેના અરબી સમુદ્રમાં શિબિર યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા યુવક યુવતિઓ કે જેમની ઉમર 31 ડિસેમ્બર,2025 ના રોજ 15 થી 35 વર્ષની મર્યાદામાં હોય, શારીરિક તેમજ માનસિક રીતે તંદૂરસ્ત હોય તેમજ સામાન્ય સંજોગોમાં સતત ત્રણ કલાક તરી શકવાની ક્ષમતા ધરાવતા હોય તેમને અરજી કરવાની રહેશે.
નિયત નમૂનાનું અરજી ફોર્મ 15 જાન્યુઆરી,2026 સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,જિલ્લા સેવા સદન, સોમનાથ ખાતે મોકલી આપવી.
શિબિર માટે પસંદગી કરતા પહેલા પૂર્વે તરણ કસોટી યોજાયા બાદ આ કસોટીમાંથી ઉત્તિર્ણ થનાર ૨૫ યુવક યુવતીઓની શિબિર માટે પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલ તાલીમાર્થીઓને વતનથી કેમ્પના સ્થળ સુધી આવવા જવાનું પ્રવાસ ખર્ચ (સાદી એસ.ટી બસ) નું ભાડુ,નિવાસ, ભોજન આપવામાં આવશે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ