
નવી દિલ્હી, 10 માર્ચ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સંસ્કૃત સુભાષિત શેર કરીને પૃથ્વીને મહિમાવાન બનાવવા અને રાષ્ટ્રને ઉર્જા અને શક્તિ પ્રદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી જેમાં પવિત્ર પૃથ્વીને રાષ્ટ્રની શક્તિનો સ્ત્રોત તરીકે વર્ણવવામાં આવ્યો છે. એક્સ પર સંસ્કૃત સુભાષિત શેર કરતા પ્રધાનમંત્રીએ લખ્યું,
यार्णवेऽधि सलिलमग्र आसीद्यां मायाभिरन्वचरन्मनीषिणः। यस्या हृदयं परमे व्योमन्त्सत्येनावृतममृतं पृथिव्याः। सा नो भूमिस्त्विषिं बलं राष्ट्रे दधातूत्तमे॥
આ સુભાષિતનો અર્થ એ છે કે, જે પૃથ્વીની અંદર મહાસાગરોનું પાણી છે અને જે ચારે બાજુ પાણીથી ઘેરાયેલી છે, જેને વિદ્વાનોએ તેમના જ્ઞાનથી સમજી છે અને જેનું હૃદય વિશાળ આકાશમાં શાશ્વત સત્યથી ઢંકાયેલું છે, તે પવિત્ર પૃથ્વી આપણા મહાન રાષ્ટ્રને ઉર્જા અને શક્તિ પ્રદાન કરે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ