


પોરબંદર, 23 માર્ચ (હિ.સ.)પોરબંદરમા ચૈત્રી નવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી રહી છે. પોરબંદરમા ખારવા સમાજ દ્રારા ચૈત્રી નવરાત્રી દરમ્યાન ગોરમાવડીની પુજા અર્ચના કરવામા આવી હતી. રાંદલમાની પુજા-અર્ચના અને ભોગ ધરવામા આવ્યો હતો અને તેમજ ત્રણ દિવસ સુધી ખારવા સમાજની બહેનોએ રાસ ગરબે રમી અને માતાજીની આરાધના કરી હતી, તેમજ ચૈત્ર સુદ-ત્રીજના દિવસે જાગરણ કર્યા બાદ ચૈત્ર સુદ ચોથના દિવસે ગોરમાવડીનુ વિર્સજન કરવામા આવ્યુ હતુ. ખારવાવાડ વિસ્તારમાંથી ગોરમાવડીની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નિકળી હતી ધુપ-દીપ અને રાસની રમઝટ વચ્ચે હજારોની સંખ્યામા શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા અને કેદરાશ્વર મંદિરમા આવેલા કેદરકુંડમા ગોરમાવડીનુ આસ્થાભેર વિસર્જન કરવામા આવ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya