
નવી દિલ્હી, 24 માર્ચ (હિ.સ.) પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે, કેન્દ્ર સરકારે બુધવારે સાંજે 5 વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક સંસદ ભવનના એનેક્સીમાં યોજાશે. આ બેઠકમાં તમામ પક્ષોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવની ભારત પર થતી અસરની ચર્ચા કરવામાં આવશે. સરકાર વિપક્ષ સાથે ઘરેલુ ગેસ (એલપીજી) પુરવઠા અને અસ્થિર બજારની સ્થિતિના મુદ્દા પર પણ ચર્ચા કરશે. જોકે, સરકારના કટ્ટર ટીકાકાર, વિપક્ષી નેતા રાહુલ ગાંધી, આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા નથી. ગાંધીએ પોતે એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, તેઓ નિર્ધારિત સમય મુજબ કેરળનો પ્રવાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વિપક્ષી નેતાઓએ આ મુદ્દા પર સરકારના વલણની ટીકા કરી હતી અને શક્ય તેટલી વહેલી તકે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી હતી. મંગળવારે, વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતા જયરામ રમેશે પશ્ચિમ એશિયામાં સંઘર્ષને ઉકેલવા માટે સરકારના પગલાંની ટીકા કરી હતી.
રાજ્યસભાના સાંસદ જોન બ્રિટાસે 2003ના ઇરાક યુદ્ધની નિંદા કરતા સંસદીય ઠરાવનો ઉલ્લેખ કર્યો અને સરકારને ઈરાન પર સમાન વલણ અપનાવવા વિનંતી કરી.
દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ. મંગળવારે રાજ્યસભામાં ભારતની ઉર્જા સુરક્ષા અને પશ્ચિમ એશિયા સંઘર્ષના વ્યાપક પરિણામો વિશે વાત કરી. તેમણે તમામ રાજ્યોને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, આવા મુશ્કેલ સમયમાં, સંસદનું ઉપલું ગૃહ શાંતિ અને સંવાદનો એકીકૃત સંદેશ મોકલે તે જરૂરી છે. અગાઉ સોમવારે, લોકસભામાં, વડા પ્રધાને પશ્ચિમ એશિયા સંકટને સંબોધવા માટે સરકારના પગલાંની રૂપરેખા આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / જીતેન્દ્ર તિવારી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ