


પોરબંદર, 29 માર્ચ (હિ.સ.) : માધવપુર ઘેડના સુપ્રસિદ્ધ રાષ્ટ્રીયમેળામાં પોરબંદર જિલ્લાના પ્રભારી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજી બાવળીયા અને મહાનુભાવોના હસ્તે હેન્ડી ક્રાફટ સ્ટોલ ઉપર કાપડની થેલીનું વિતરણ કરાયું હતું.
પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને સ્વચ્છતા રાખવામાં માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીના વડપણ અને ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંતર્ગત કાપડની થેલીનું વિતરણ કરી લોકોને જાગૃત કરાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya