અમદાવાદમાં યુગાન્ડા, કોંગો સહિતના દેશોમાંથી આવેલા 11 લોકો હોમ આઇસોલેશનમાં
અમદાવાદ, 27 મે (હિ.સ.) : આફ્રિકન દેશો યુગાન્ડા અને કોંગોમાં ફેલાયેલા ઇબોલા વાઇરસનાં પગલે તકેદારીના ભાગરૂપે અમદાવાદ આવેલા 11 જેટલા દર્દીઓને તેમના ઘરે હોમઆઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા ઇબોલા વાઇરસનાં પગલે તૈયારી
અમદાવાદમાં યુગાન્ડા, કોંગો સહિતના દેશોમાંથી આવેલા 11 લોકો હોમ આઇસોલેશનમાં


અમદાવાદ, 27 મે (હિ.સ.) : આફ્રિકન દેશો યુગાન્ડા અને કોંગોમાં ફેલાયેલા ઇબોલા વાઇરસનાં પગલે તકેદારીના ભાગરૂપે અમદાવાદ આવેલા 11 જેટલા દર્દીઓને તેમના ઘરે હોમઆઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા ઇબોલા વાઇરસનાં પગલે તૈયારીઓ કરવામાં આવી છે.

દર્દીઓ પશ્ચિમ વિસ્તારમાં રહે છે અને કોઈપણ વ્યક્તિને લક્ષણો નથી તેમજ તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી.

આ 3 દેશોમાંથી કોઈ દર્દી આવશે તો તેઓને ફરજિયાત હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે. એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન રાખવા માટે અલગથી 30 બેડનો વોર્ડ તૈયાર કરાયો છે.

ઇબોલા વાઇરસ (EVD)ને કારણે જાહેર આરોગ્ય કટોકટીની આંતરરાષ્ટ્રીય ચિંતા (PHEIC) ઊભી થતાં, રાષ્ટ્રીય હિતમાં તમામ ઈન્ટરનેશનલ મુસાફરો માટે તાત્કાલિક અસરથી ફરજિયાત જાહેર આરોગ્ય પગલાં લાગુ કરવામાં આવ્યા છે. રોગના આયાત અને સંક્રમણના જોખમને ઘટાડવા માટે સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા પ્રવેશ બિંદુઓ (PoE) પર તમામ એરલાઇન્સ અને હિસ્સેદારો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મનું પાલન કડક બનાવવામાં આવ્યું છે.

ડીજીસીએ માર્ગદર્શિકા પરિશિષ્ટ-1 હેઠળ આવરી લેવામાં આવતી એરલાઇન્સની બધી ફ્લાઇટ્સ, આ POE પર કોઈપણ સંભવિત રાષ્ટ્રીય જાહેર આરોગ્ય જોખમ અને રોગના આયાતને ઘટાડવા માટે, બધા રૂટ માટે, બધા મુસાફરો માટે એસડીએફ ફોર્મ ફરજિયાત ભરવાનું સુનિશ્ચિત કરશે.

બધા કિસ્સાઓમાં, આરોગ્ય પગલાં અને એસડીએફ ભરવા અંગેની ફ્લાઇટમાં જાહેરાતો આગમન પહેલાં પૂર્ણ કરવામાં આવશે, જેથી ભીડ ટાળી શકાય અને ઇબોલા રોગના સંક્રમણનું જોખમ ઓછું કરી શકાય.

આગમન વિસ્તારમાં 24x7 ફરજ પર ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ તૈનાત છે. બધા હિસ્સેદારોએ ચેપ નિવારણ અને નિયંત્રણ પગલાંનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવું જરૂરી છે. કોઈપણ સંજોગોમાં ગેરવહીવટને કારણે આરોગ્યસંભાળ કાર્યકરો અથવા મુસાફરોને ચેપનું જોખમ ન હોવું જોઈએ. જોડાયેલ SOPનું કડક અને ફરજિયાત પાલન કરવામાં આવશે.

આરોગ્ય વિભાગે ખાસ કરીને આફ્રિકાના પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો પર નજર વધારી છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાંજે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું .

અધિકારીઓના જણાવ્યા મુજબ આ સ્ક્રીનિંગ માત્ર પ્રભાવિત દેશોમાંથી આવતા પેસેન્જરો માટે જ છે, સામાન્ય મુસાફરો માટે કોઈ ચિંતા કે વધારાની કાર્યવાહી જરૂરી નથી

કોંગોના પૂર્વીય ઇટુરી પ્રાંતમાં ઇબોલાથી અત્યાર સુધીમાં 80 લોકોના મોત થયા છે. 246 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ તેને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. જોકે, WHOનું કહેવું છે કે તે મહામારીની શ્રેણીમાં આવતું નથી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande