
નવી દિલ્હી, 27 મે (હિ.સ.). આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026નો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ, આ વર્ષે 21 જૂનના રોજ કોલકતામાં આયોજિત કરવામાં આવશે. કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) પ્રતાપરાવ જાધવે બુધવારે આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે યોગ દિવસની થીમ “સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ” રાખવામાં આવી છે.
પ્રતાપરાવ જાધવે પત્રકારોને જણાવ્યું હતું કે, યોગ એ ભારતની પ્રાચીન પરંપરા અને સમગ્ર સ્વાસ્થ્યનો આધાર છે. આ વર્ષની થીમ વધતી ઉંમરમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવામાં યોગના મહત્વને રેખાંકિત કરે છે. તેમણે કહ્યું કે ખજુરાહો પોતાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે યોગ અને વેલનેસના વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસિત થવાની ક્ષમતા ધરાવે છે.
મંત્રીએ જણાવ્યું કે, “યોગ 365” અભિયાન અંતર્ગત ચલાવવામાં આવેલા 100 દિવસીય નિઃશુલ્ક યોગ તાલીમ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકો ભાગ લઈને “યોગ મિત્ર” પ્રમાણપત્ર મેળવી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગ આજે એક વૈશ્વિક જનઆંદોલન બની ગયો છે અને લગભગ 190 દેશોમાં તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ