
મનીલા (ફિલિપાઇન્સ), નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.). ભારતીય વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે કહ્યું કે, ઊર્જા, ભોજન અને સ્વાસ્થ્ય સુરક્ષાને હવે હળવાશથી લઈ શકાય નહીં. ભારત અને આસિયાન ભવિષ્યની સંભાવનાઓને લઈને આશાવાદી છે. તેમણે આ વિચારો મનીલામાં આયોજિત ભારત સાથેની આસિયાન પોસ્ટ મિનિસ્ટિરિયલ પરિષદમાં વ્યક્ત કર્યા. જયશંકરે X પર પોતાના પ્રારંભિક સંબોધનનો વીડિયો પણ શેર કર્યો.
જયશંકરે કહ્યું કે, આપણે સૌ દરિયાઈ વેપાર પર અત્યંત નિર્ભર છીએ. તેથી આ પણ ચિંતાનો વિષય બની શકે છે. આ સંબંધમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવું જરૂરી છે. સંયોગવશાત્, 2026 'આસિયાન-ભારત દરિયાઈ સહયોગ વર્ષ' છે. આ યાદ અપાવે છે કે આપણે વધુ સ્થિર અને સુરક્ષિત ભવિષ્ય માટે શું કરી શકીએ છીએ.
તેમણે કહ્યું કે, આજે ભારત-આસિયાનના એજન્ડામાં વેપાર, રોકાણ, લોકોની અવરજવર, પ્રતિભા, ટેકનોલોજી, ડિજિટલ, AI, હરિત, ટકાઉપણું અને જોડાણનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ફિલિપાઇન્સે 2026 માટે આસિયાનની અધ્યક્ષતા સંભાળી છે. વિદેશમંત્રી જયશંકર આસિયાન માળખા હેઠળ વિદેશમંત્રી સ્તરની બેઠકોમાં ભાગ લેવા માટે ફિલિપાઇન્સની રાજધાની મનીલાના પ્રવાસે છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ