સિદ્ધપુરમાં ભૈરવ દાદાના મંદિરના જીર્ણોદ્ધારનો પ્રારંભ
પાટણ, 30 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુરની અંબાવાડીમાં આવેલા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજના પ્રાચીન ભૈરવ દાદાના મંદિરના જીર્ણોદ્ધાર કાર્યનો પ્રારંભ થયો છે. શ્રાવણ માસના શુક્લ પક્ષની એકમના પાવન દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરવામાં
સિદ્ધપુરમાં ભૈરવ દાદાના મંદિરના જીર્ણોદ્ધારનો પ્રારંભ


પાટણ, 30 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુરની અંબાવાડીમાં આવેલા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજના પ્રાચીન ભૈરવ દાદાના મંદિરના જીર્ણોદ્ધાર કાર્યનો પ્રારંભ થયો છે. શ્રાવણ માસના શુક્લ પક્ષની એકમના પાવન દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. મંદિરના નવનિર્માણ માટે આશરે ₹4.50 લાખનો ખર્ચ થવાનો છે.

ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં આવેલા આ પ્રાચીન સ્થાનકનું નવનિર્માણ સ્થાપત્ય કલા મુજબ આકર્ષક લાલ પથ્થરોથી કરવામાં આવશે. ભૂમિપૂજન પ્રસંગે વિદ્વાન ભૂદેવો અને આચાર્યો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજનવિધિ સંપન્ન કરવામાં આવી હતી.

આ પ્રસંગે અરુણભાઈ જાની મુખ્ય યજમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમાજના પ્રમુખ હિતેષભાઈ પાટીલ, મંત્રી, કારોબારી સભ્યો, કૂટ પ્રતિનિધિઓ તેમજ ઔદિચ્ય સહસ્ત્ર મહિલા ઉત્કર્ષ મંડળ અને મહિલા મોરચાના સભ્યો સહિત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande