
નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા આયોજિત જળ વ્યવસ્થાપનની કાર્યશાળામાં 14 રાજ્યોએ પોતાના અનુભવો શેર કર્યા અને પાણીના બહેતર સંરક્ષણ તેમજ વ્યવસ્થાપનના ઉપાયો શીખ્યા.
ભાજપના વરિષ્ઠ નેતા વિનય સહસ્ત્રબુદ્ધેએ મીડિયાને આ કાર્યશાળા વિશે માહિતી આપતા જણાવ્યું કે, આ કાર્યશાળા જળ સંબંધિત વિવિધ વિભાગોના કામકાજને વધુ પ્રભાવી બનાવવા અને રાજ્યોમાં જળ વ્યવસ્થાપનને બહેતર બનાવવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવી છે.
વિનય સહસ્ત્રબુદ્ધેના મતે, આ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોના જળશક્તિ મંત્રીઓનું સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. તેના સમાપન પછી ભાજપની આ કાર્યશાળા શરૂ થઈ. કાર્યશાળાનું ઉદ્ઘાટન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને કર્યું. આ પછી આજે વિવિધ વિષયો પર સત્રો આયોજિત કરવામાં આવ્યા.
તેમણે જણાવ્યું કે, કાર્યશાળામાં 14 રાજ્યોના 25 જળશક્તિ મંત્રીઓએ ભાગ લીધો. આમાં સિંચાઈ, ગ્રામીણ પીવાના પાણી, પીવાના પાણી અને સ્વચ્છતા અને જન સ્વાસ્થ્ય એન્જિનિયરિંગ જેવા જળ સંબંધિત વિભાગો સંભાળતા મંત્રીઓ સામેલ છે. કાર્યશાળાના પહેલા સત્રમાં 'કાર્યક્ષમ મંત્રી સ્થાપના' એટલે કે મંત્રાલયના કામકાજને વધુ પ્રભાવી બનાવવાના તરીકાઓ પર ચર્ચા થઈ. આ પછી નિષ્ણાતોએ 'ભારતની જળ કથા' હેઠળ ભારતમાં જળ સંસાધનોની વર્તમાન સ્થિતિ અને તેનાથી સંબંધિત પડકારો પર માહિતી આપી.
સહસ્ત્રબુદ્ધેએ જણાવ્યું કે, કાર્યશાળામાં સંગઠન અને સરકાર વચ્ચે બહેતર સમન્વય અને સંબંધોને લઈને પણ એક સત્ર આયોજિત કરવામાં આવ્યું. અન્ય સત્રોમાં જળ વ્યવસ્થાપન સંબંધિત અન્ય મહત્વપૂર્ણ વિષયો પર પણ ચર્ચા થશે. તેમણે કહ્યું કે આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય રાજ્યોમાં જળ સંબંધિત વિભાગોના કામકાજને બહેતર બનાવવા, અનુભવો શેર કરવા અને જળ વ્યવસ્થાપનને લઈને પ્રભાવી રણનીતિ તૈયાર કરવામાં મદદ કરવાનો છે. કાર્યશાળા પૂરી થયા પછી તમામ મંત્રીઓ પોતાના રાજ્યોમાં નવા અનુભવોને શાસનમાં અમલમાં મૂકશે.
હિન્દુસ્થાન સમાચાર / સૌરવ રાય / સચિન બુધૌલિયા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ