ગાંધીનગરની રૂપાલની પલ્લીમાં લાખો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, આખા ગામમાં ઘીની નદીઓ વહી
- વરદાયિની માતાજીની પલ્લી પર હજારો લિટર ઘીનો અભિષેક - દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું ગાંધીનગર, 1 ઓકટોબર (હિ.સ.) નવરાત્રીના નોમના દિવસે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામના વરદાયિની માતાજીના પલ્લી મેળો યોજાય છે. અહીં આખા ગામમાં ફરી આજે એકવાર ઘીની નદી
ગાંધીનગરની રૂપાલની પલ્લીમાં લાખો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, આખા ગામમાં ઘીની નદીઓ વહી


ગાંધીનગાંધીનગરની રૂપાલની પલ્લીમાં લાખો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, આખા ગામમાં ઘીની નદીઓ વહી ગરની રૂપાલની પલ્લીમાં લાખો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, આખા ગામમાં ઘીની નદીઓ વહી


- વરદાયિની માતાજીની પલ્લી પર હજારો લિટર ઘીનો અભિષેક

- દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું

ગાંધીનગર, 1 ઓકટોબર (હિ.સ.) નવરાત્રીના નોમના દિવસે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામના વરદાયિની માતાજીના પલ્લી મેળો યોજાય છે. અહીં આખા ગામમાં ફરી આજે એકવાર ઘીની નદીઓ વહેતી જોવા મળી છે. દર વર્ષે પલ્લી પર પરંપરા મુજબ લાખો લિટર ઘીનો અભિષેક થતો હોય છે. આ પ્રસંગે રાજ્યભરના ભક્તો રૂપાલ ગામમાં ઉમટી પડે છે.

રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. દર વર્ષની માફક માતાજીની પલ્લી પર હજારો લિટર શુદ્ધ ઘીનો અભિષેક કરાતા ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી. વરદાયિની માતાજીના અને પલ્લીના દર્શન કરી લોકોએ માનતા પૂર્ણ કરી હતી. માતાજીની પલ્લી રાત્રિના શોભાયાત્રા સ્વરૂપે ગામમાં નીકળ્યા બાદ 27 ચોકમાં ફરી હતી અને સવારે પોણા આઠ વાગ્યા આસપાસ વરદાયિની માતાજીના મંદિરે પરત ફરી હતી.

રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવાની વર્ષો જૂની પરંપરા છે જે આજે પણ અકબંધ છે. પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરતા પહેલા રાત્રિના સમયે ટ્રેક્ટરની ટ્રોલીઓમાં અને બેરલમાં ઘી એકત્ર કરવામાં આવ્યું હતું. ગામના રસ્તા પર પલ્લી નીકળતા જ કાર્યકર્તાઓ દ્વારા ડોલ ભરી ભરીને પલ્લી પર ઘીનો અભિષેક કરાયો હતો.પલ્લીની પ્રથા એવી છે કે જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય તેમને પણ પલ્લીનાં દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હોય તેમની માતાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે. તો ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા કરે છે અને ગામાના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. સૌપ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત કરાય છે. પલ્લી મંદિરમાં નીકળીને ચોકમાં આવે એટલે તેના પર ઘી રેડવાનું શરૂ કરાય છે. અહીં જ બાળકોને પલ્લીમાં માથા ટેકવાય છે.

વરદાયિની માતાજીના મંદિરના ટ્રસ્ટી નીતિન પટેલે જણાવ્યું છે કે, આ વખતે પણ લાખો ભક્તો માતાના દર્શન કરવા માટે આવ્યા હતા. જેથી રસ્તાઓ પર ઘીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શ્રી વરદાયિની માતાજીનું મંદિર 5,000 વર્ષથી શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ પલ્લી યાત્રાનું ધાર્મિક મહાત્મ્ય એટલું ઊંડું છે કે, તેને મહાભારતકાળ સાથે જોડવામાં આવે છે. માન્યતા મુજબ, ગુપ્તવાસમાં જતાં પહેલાં પાંડવોએ માતાજીને પ્રાર્થના કરીને પોતાના શસ્ત્રો સંતાડ્યા હતા અને વિજય મળ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોએ સોનાની પલ્લી બનાવીને પંચબલી યજ્ઞ કર્યો હતો. ત્યારથી આ પરંપરા અવિરતપણે ચાલી આવે છે. ખીજડાના લાકડામાંથી બનેલી આ પલ્લીને ગામના વરદાયિની માતાના મંદિરથી કાઢવામાં આવે છે, જે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande