ગીર સોમનાથ 13 ઓક્ટોબર (હિ.સ.) ભારત સરકાર દ્વારા પોલિયો નાબુદી ના ભાગરુપે આજરોજ તા 12 મીં ઓક્ટોબર 2025 ને રવિવાર ના રોજ સુત્રાપાડા મુકામે પોલિયો બુથ નો શુભારંભ પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ દ્વારા કરવામાં આવેલ્.
' દો બુંદ જિંદગી કે' ના સૂત્ર ને સાર્થક કરવા અને દેશભર માંથી પોલિયો ને સદંતર નાબૂદ કરવા સુત્રાપાડા મુકામે નગરપાલિકા હોલ માં બાળકોને બે ટીપા પોલિયોના પીવડાવી પૂર્વ મંત્રી જશા બારડે પોલિયો બુથ નો શુભારંભ કરાવેલ હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ