નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.) કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો ચંડીગઢ પ્રવાસનો કાર્યક્રમ નક્કી થયો
છે. તેઓ હવે મંગળવારે સવારે 10:15 વાગ્યે, 2001 બેચના આઈપીએસ અધિકારી વાય. પૂરણ કુમારના નિવાસસ્થાને
પહોંચશે.
રાહુલ ગાંધી, સ્વર્ગસ્થ વાય. પૂરણ કુમારના પરિવારને મળશે અને
તેમની સંવેદના વ્યક્ત કરશે. આ મુલાકાત ચંડીગઢના સેક્ટર 24માં ઘર નંબર 132 પર થશે.
ઉલ્લેખનીય છે કે, આઈપીએસ અધિકારી વાય. પૂરણ કુમારે
તાજેતરમાં જ તેમના ચંડીગઢ નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. તેમની પત્ની, આઇએએસ અધિકારી
અમનીત પી. કુમારની ફરિયાદના આધારે, પોલીસે 10 અધિકારીઓ સામે કેસ નોંધ્યો છે. હાલમાં તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ