ટ્રમ્પના દાવા પર ભારતનો સંતુલિત પ્રતિભાવ: ભારતીય ગ્રાહક હિતોનું રક્ષણ અમારી પ્રાથમિકતા
નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.) વિદેશ મંત્રાલયે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર સંતુલિત પ્રતિભાવ જારી કર્યો છે કે,” વડાપ્રધાન મોદીએ તેમને ખાતરી આપી હતી કે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. મંત્રાલયનું નિવેદન
વિદેશ મંત્રી


નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.) વિદેશ મંત્રાલયે યુએસ પ્રમુખ ડોનાલ્ડ

ટ્રમ્પના દાવા પર સંતુલિત પ્રતિભાવ જારી કર્યો છે કે,” વડાપ્રધાન મોદીએ તેમને

ખાતરી આપી હતી કે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. મંત્રાલયનું નિવેદન

નકારે છે કે સ્વીકારતું નથી. તે ગ્રાહક હિત અને ઊર્જા વૈવિધ્યકરણ પર ભાર મૂકે છે.”

વિદેશ મંત્રાલયનાપ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્રમ્પના નિવેદન પર

પ્રતિક્રિયા જારી કરતા તેમણે જણાવ્યું હતું કે,” ભારત તેલ અને ગેસનો નોંધપાત્ર

આયાતકાર છે. અસ્થિર ઊર્જા પરિદૃશ્યમાં ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું અમારી

સતત પ્રાથમિકતા રહી છે. અમારી આયાત નીતિઓ આ ઉદ્દેશ્ય દ્વારા સંપૂર્ણપણે સંચાલિત

છે.”

તેમણે જણાવ્યું હતું કે,” સ્થિર ઊર્જા ભાવ અને સુરક્ષિત

પુરવઠો સુનિશ્ચિત કરવો એ અમારી ઊર્જા નીતિના બેવડા ધ્યેયો છે. આમાં અમારા ઊર્જા

આધારને વિસ્તૃત કરવાનો અને બજારની પરિસ્થિતિઓ અનુસાર અમારા ઊર્જા સ્ત્રોતોને

વૈવિધ્યીકરણ કરવાનો સમાવેશ થાય છે. જ્યાં સુધી યુનાઇટેડ સ્ટેટ્સનો સંબંધ છે, અમે ઘણા વર્ષોથી

અમારી ઊર્જા ખરીદીને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ છેલ્લા દાયકામાં સતત

પ્રગતિ સાથે સુસંગત રહ્યું છે. વર્તમાન વહીવટીતંત્રે ભારત સાથે ઊર્જા સહયોગને વધુ

ગાઢ બનાવવામાં રસ દર્શાવ્યો છે. તેના પર ચર્ચાઓ ચાલુ છે.”

ઉલ્લેખનીય છે કે, 2022 માં યુક્રેન સંઘર્ષ શરૂ થયો ત્યારથી

ભારત ડિસ્કાઉન્ટેડ દરે રશિયન તેલ આયાત કરી રહ્યું છે. આનો ઉપયોગ કરીને, યુએસ રાષ્ટ્રપતિએ

તાજેતરમાં, ભારતીય નિકાસ પર ટેરિફ લાદીને દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે

સતત કહ્યું છે કે, યુરોપ અને ચીન પણ તેમની ઉર્જા જરૂરિયાતોનો નોંધપાત્ર ભાગ રશિયા

પાસેથી આયાત કરે છે. વધુમાં, યુએસ પોતે ઘણી જરૂરિયાતો માટે રશિયા પર નિર્ભર છે.

દરમિયાન, રશિયન રાજદૂત ડેનિસ અલિપોવે એક નિવેદન બહાર પાડ્યું છે.જેમાં જણાવ્યું

છે કે,” રશિયા-ભારત વ્યૂહાત્મક ભાગીદારી વૈશ્વિક દબાણથી પ્રભાવિત નથી અને

વિશ્વાસના મજબૂત પાયા પર આધારિત છે.” તેમણે જણાવ્યું હતું કે,” અમારો તેલ પુરવઠો

ભારતીય અર્થતંત્ર માટે ફાયદાકારક છે અને અમારા વેપાર સંબંધો વધી રહ્યા છે.” તેમણે

ઉમેર્યું હતું કે,” ભારત સરકાર તેના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપે છે.”

તેમણે કહ્યું કે,” તેઓ યુએસ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન

વચ્ચેની ચર્ચાઓથી અજાણ હતા. ભારત સરકારની નીતિઓ ભારતીય લોકોના હિતોને પ્રતિબિંબિત

કરે છે અને ભારત-રશિયા સંબંધોની વિરુદ્ધ નથી.”

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande