એમસીએમસીની મંજૂરી વિના, સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ પર કોઈપણ રાજકીય જાહેરાત પ્રકાશિત થઇ શકશે નહીં
- ચૂંટણી પંચે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્રચાર માટે માર્ગદર્શિકા જારી કરી નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.) બિહાર વિધાનસભા ચૂંટણી અને અન્ય રાજ્યોમાં પેટાચૂંટણીઓ પહેલા, ચૂંટણી પંચે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્રચાર માટે માર્ગદર્શિકા જારી કરી છે. હવે બધી
ચૂંટણી પંચ-ફાઈલ ફોટો


- ચૂંટણી પંચે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્રચાર માટે માર્ગદર્શિકા જારી કરી

નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.) બિહાર વિધાનસભા ચૂંટણી અને અન્ય રાજ્યોમાં પેટાચૂંટણીઓ પહેલા, ચૂંટણી પંચે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્રચાર માટે માર્ગદર્શિકા જારી કરી છે. હવે બધી રાજકીય જાહેરાતો માટે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (એમસીએમસી) તરફથી પૂર્વ-પ્રમાણપત્રની જરૂર છે, ઉમેદવારોએ નામાંકન સમયે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો પ્રદાન કરવી આવશ્યક છે, અને રાજકીય પક્ષોએ ચૂંટણીના 75 દિવસની અંદર ડિજિટલ પ્રચાર ખર્ચની વિગતો કમિશનને સબમિટ કરવી આવશ્યક છે.

પંચે નિર્દેશ આપ્યો છે કે, એમસીએમસી ની મંજૂરી વિના સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ પર કોઈપણ રાજકીય જાહેરાત પ્રકાશિત કરવામાં આવશે નહીં. આ માટે, જિલ્લા અને રાજ્ય સ્તરે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (એમસીએમસી) ની રચના કરવામાં આવી છે, જે સોશિયલ મીડિયા સહિત તમામ ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર પ્રકાશિત થતી જાહેરાતોની તપાસ કરશે અને પેઇડ ન્યૂઝના શંકાસ્પદ કેસ પર જરૂરી પગલાં લેશે.

ઉમેદવારીપત્રક ભરતી વખતે ઉમેદવારો પાસેથી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિશે માહિતી માંગવામાં આવશે, જેનાથી કમિશન તેમના ડિજિટલ પ્રચાર પર નજર રાખી શકશે.

લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 77(1) અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો હેઠળ, ચૂંટણી પ્રચાર ખર્ચની જાણ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ ખર્ચમાં ઇન્ટરનેટ કંપનીઓ અને વેબસાઇટ્સને કરવામાં આવતી ચૂકવણી, પ્રચાર સામગ્રીનું નિર્માણ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું સંચાલન અને અન્ય ડિજિટલ પ્રચાર-સંબંધિત ખર્ચનો સમાવેશ થશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande