પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર શહેરમાં આશીર્વાદ દિવ્યાંગ પુનઃવર્સન કેન્દ્ર દ્વારા દિવ્યાંગ બાળકોને શિક્ષણ, રમત-ગમત, સાળ- સંભાળ, અને બાળકોના સર્વાંગી વિકાસ માટે વિનામૂલ્યે કાર્ય કરી રહ્યું છે. ત્યારે સંસ્થાને અનમોલ બાળકોએ પૂનમબેન અને અન્ય સ્ટાફના માર્ગદશન હેઠળ દિવાળી તહેવાર નિમિત્તે 5000 થી વધુ સુંદર અને આકર્ષક દીવડાઓ પોતાની હાથે તૈયાર કર્યા છે. દીવડાઓનું વેચાણ શરૂ થઈ ગયું છે અને ખરીદી માટેનું સ્થળ રાવલિયા પ્લોટ ખાતે આવેલી આશીર્વાદ દિવ્યાંગ શાળા છે. પોરબંદરની જનતાને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ દીવડાઓની ખરીદી કરી બાળકોને પ્રોત્સાહન આપે અને તેમની આત્મનિર્ભરતા માટે સહયોગ આપે તેવી અપીલ પોરબંદરવાસીઓ ને કરવામાં આવે છે.દિવડાના વેચાણથી મળેલ નફો દિવ્યાંગ બાળકોના વિકાસ, શિક્ષણ માટે વાપરવામા આવશે સાથો સાથ બાળકોને મહેનતાણું પણ આપવામાં આવશે જેથી બાળકો આત્મનિર્ભર બને અને પોતાના રહેલ શક્તિને ઓળખી શકે આશીર્વાદ દિવ્યાંગ પુનઃવર્સન કેન્દ્ર ની પહેલ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા તરફ એક પ્રયાસ કરાયો છે.ત્યારે
પોરબંદર વાસીઓ સાથે મળી ને આ અનમોલ બાળકો ના જીંદગી માં એક નવી જ્યોત અને ઉર્જાનો સંચાર કર્યે.દિવાળી પર્વ નિમિત્તે કોઈ દાન કે ભેટ આપવામાં માગતા હોય તો તે પણ સ્વીકાર્ય છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya