અમદાવાદ,21 ઓકટોબર (હિ.સ.) દિવાળીની રાત્રે, રાજધાની દિલ્હી સહિત દેશભરના શહેરોમાં માં લોકો મોટી સંખ્યામાં ફટાકડા ફોડે છે. જેના કારણે પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે. એટલે કે ખતરનાક પરિસ્થિતિઓ છે.કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના જણાવ્યા અનુસાર, રાજધાનીમાં રાત્રે 10 વાગ્યા સુધીમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 344 ને વટાવી ગયો હતો. આ એક ગંભીર પરિસ્થિતિ છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાં રાત્રે 8 થી 10 વાગ્યા સુધી ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી હતી, પરંતુ લોકો મોડી રાત સુધી ફટાકડા ફોડતા રહ્યા. જેના કારણે 38 માંથી 36 મોનિટરિંગ સ્ટેશનો પર રેડ ઝોનમાં પ્રદૂષણનું સ્તર રેકોર્ડ ગયું.ગઇકાલે દિવાળીનો તહેવાર લોકો મનાવી રહ્યા હતા, પરંતુ ફટાકડા ફોડવાના કારણે હવાના પ્રદૂષણમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો.
અમદાવાદમાં રાત્રે AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 300 પાર પહોંચી ગયો. એટલે કે, હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમકારક બની ગઈ હતી.
ફટાકડાનાં કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું અને લોકો બહાર ફટાકડા ફોડતા હોય અને ત્યારે તેમના શ્વાસમાં આ હવા જવાના કારણે તકલીફ પડે તેવી સ્થિતિ શહેરમાં જોવા મળી હતી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ 200થી ઉપર જ જોવા મળ્યો હતો. aqi.in વેબસાઈટ મુજબ શહેરના ચાંદખેડા, નારોલ, બોપલ, શીલજ, સાયન્સ સિટી, ઘાટલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં આરોગ્ય માટે જોખમકારક હવા બની હતી. અમદાવાદમાં ફટાકડાનાં કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું હતું જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એવી સ્થિતિ ઉભી થઈ હતી.
રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી કે, રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, પરંતુ મોડી રાત સુધી ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેના કારણે હવામાં ખૂબ પ્રદૂષણ ફેલાયું હતું અને એટલી ખરાબ સ્થિતિ શહેરમાં બની ગઈ છે કે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એટલી હવા પ્રદુષિત થઈ હતી. નાના બાળકો અને ઉંમરલાયક લોકોને પણ આવી હોવાથી બચવું જોઈએ, પરંતુ અમદાવાદમાં ફટાકડાનું પ્રમાણ એટલું વધારે થયું છે કે હવા ખૂબ પ્રદૂષિત બની ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ