
અમરેલી, 25 ઓક્ટોબર (હિ.સ.) : આજ રોજ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં રાજ્યના મંત્રી કુંવરજી બાવલિયાએ મુલાકાત લીધી હતી. તેમના આ પ્રવાસ દરમિયાન તાલુકાના વિવિધ વિકાસ કાર્યો અને યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. સ્થાનિક અધિકારીઓ, સરપંચો અને ગ્રામજનો સાથે બેઠક યોજી મંત્રીએ તંત્રની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
મંત્રી કુંવરજી બાવલિયાએ ખાંભા તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં ચાલી રહેલા માર્ગ, પાણી અને કૃષિ સંબંધિત પ્રોજેક્ટોની સ્થિતિની તપાસ કરી હતી. તેમણે અધિકારીઓને વિકાસ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સૂચના આપી હતી તેમજ ગ્રામજનોની સમસ્યાઓ તાત્કાલિક ઉકેલવા માટે નિર્દેશ આપ્યા હતા.
તેમણે કહ્યું હતું કે સરકાર ગ્રામ વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. રાજ્યમાં ચાલતી લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક ગ્રામજન સુધી પહોંચે તે માટે તંત્ર સતત કાર્યરત છે.
આ મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ મંત્રીનું સ્વાગત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ખાંભા તાલુકામાં મંત્રીની આ મુલાકાતથી તંત્ર અને નાગરિકોમાં નવી ઊર્જા અને વિશ્વાસ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai