



ગાંધીનગર, 26 ઓક્ટોબર (હિ.સ.) દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસંવાદ કાર્યક્રમ 'મન કી બાત' કાર્યક્રમના 127 માં એપિસોડને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીએ ગાંધીનગરમાં સેકટર ૧૩ સ્થિત લિંબચ ધામ ખાતે નિહાળ્યો હતો. જગદીશ વિશ્વકર્માજીએ લિંબચ માતાના મંદિરે પૂજા અર્ચના કરી હતી.
આ પ્રસંગે પ્રદેશ મીડિયા સંયોજક ડૉ. યજ્ઞેશ દવે, પ્રદેશ સોશીયલ મીડિયા સંયોજક મનન દાણી, ગાંધીનગર મહાનગર ભાજપા પ્રમુખ ડૉ. આશિષકુમાર દવે, ધારાસભ્ય રીટા પટેલ, મેયર મીરા પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકા અને સંગઠનના ભાજપના પદાધિકારીઓ, સિનિયર આગેવાનો, વિવિધ સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ