
ગીર સોમનાથ, 28 ઓક્ટોબર (હિ.સ.): ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથીભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે ગઈ રાત્રે ગીર સોમનાથ જિલ્લા ભારે વરસાદને લઈનેસુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે આવેલ સરસ્વતી નદીમાં ફરી એકવાર ઘોડાપુર આવ્યું હતું. સરસ્વતી નદીના કાંઠે બિરાજમાન માધવરાય ભગવાન ફરી એકવાર પાણીમાં ગળકાવ થયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની તુફાની પાળી છે, ત્યારે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો દેખાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ