નવી દિલ્હી, ૦5 ઓક્ટોબર (હિ.સ)
આમ આદમી પાર્ટી (આપ) એ પંજાબમાંથી
રાજ્યસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉદ્યોગપતિ રાજિન્દર ગુપ્તાને નામાંકિત કર્યા છે. આપની રાજકીય
બાબતોની સમિતિ (પીએસી) દ્વારા, રવિવારે
આ જાહેરાત કરવામાં આવી હતી.
આપ ઉમેદવાર રાજિન્દર ગુપ્તા ટ્રાઇડેન્ટ ગ્રુપના અધ્યક્ષ છે.
તેમણે તાજેતરમાં બે મહત્વપૂર્ણ પદો પરથી રાજીનામું આપ્યું છે: રાજ્ય આર્થિક નીતિ
અને આયોજન બોર્ડના ઉપાધ્યક્ષ અને કાલી દેવી મંદિર સલાહકાર સમિતિના અધ્યક્ષ.
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં આ બેઠક આપના સંજીવ અરોડાના
રાજીનામાથી ખાલી પડી હતી. પંજાબ વિધાનસભા પેટાચૂંટણી જીત્યા બાદ, સંજય અરોડાએ
તાજેતરમાં સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતું. સંજીવ અરોડાનો કાર્યકાળ 9 એપ્રિલ, 2028 સુધીનો હતો.
જોકે, લુધિયાણા પશ્ચિમ
વિધાનસભા બેઠક જીત્યા બાદ,
તેમણે રાજ્યસભાના
સભ્યપદ પરથી રાજીનામું આપવું પડ્યું, જેના કારણે આ બેઠક ખાલી પડી.
ચૂંટણી પંચે આ બેઠક માટે 24 ઓક્ટોબરે મતદાનની જાહેરાત કરી છે. ચૂંટણી
પંચના સમયપત્રક મુજબ, 6 ઓક્ટોબરે
જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 13 ઓક્ટોબર રહેશે, જ્યારે
ઉમેદવારીપત્રો 16 ઓક્ટોબર સુધી
પાછા ખેંચી શકાશે.
હિન્દુસ્થાન સમાચાર / ધીરેન્દ્ર યાદવ / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ